________________
૫૪
પાટણનાં જિનાલયો
થાંભલા પર બે દ્વારપાળ, બે પરીઓ, વચ્ચે કમાન, તેની ઉપર સિંહાકૃતિ તથા છેક ઉપર ધાબાની દીવાલ પર વચ્ચે બેઠેલી સુંદર પરીની આજુબાજુ ઋષિ, નર્તકીઓ, પૂતળીઓ વગેરે સુંદર શિલ્પો મોહક લાગે છે. જિનાલયના ગભારાની બહારની બાજુની દીવાલ પર વચ્ચે એક પટ્ટામાં દેવ-દેવીઓનાં શિલ્પો છે. નીચે એક બારી જેવો ગોખ છે જેમાં દેવ-દેવીની રચના છે તથા બારસાખમાં પણ દેવીઓની સુંદર કોતરણી છે.
રંગમંડપ નાનો અને સાદો છે. ગર્ભગૃહને ત્રણ દ્વાર છે. તેમાં ર૩" ઊંચાઈ ધરાવતા મૂળનાયક શ્રી અભિનંદન સ્વામી સહિત અન્ય તમામ ભગવાન ચાંદીની સુંદર છત્રીમાં બિરાજમાન છે. અભિનંદન સ્વામીની પ્રતિમા પર “ઈલાહી ૪૮ સં ૧૬૫૯નો ઉલ્લેખ જોવા મળે છે. જો કે પુન:પ્રતિષ્ઠા સં. ૧૯૮૪માં થયાનું જાણવા મળે છે. કોકા પાર્શ્વનાથની પ્રતિમાની બેઠક જેવી જ અહીં પણ અષ્ટમંગલયુક્ત ચાંદીની બેઠક છે. ડાબે ગભારે શ્રી ચંદ્રપ્રભુસ્વામી તથા જમણે ગભારે શ્રી સુમતિનાથ છે. આ બંને પ્રતિમાઓ પર પણ સં. ૧૬૫૯નો ઉલ્લેખ સ્પષ્ટ જોઈ શકાય છે. ગભારામાં કુલ નવ આરસપ્રતિમા છે જે પૈકી બે કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. તથા તેર ધાતુપ્રતિમા છે. વળી, અહીં આરસનો માતૃકાપટ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૬૫૯નો મૂર્તિલેખ હોવાને કારણે સં. ૧૬૪૮ની ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ થયો જણાતો નથી. પરંતુ ત્યારબાદ (અગાઉ નોંધ કર્યા મુજબ) સં. ૧૭૨૯માં રચાયેલી પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તથા સં૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં અભિનંદનસ્વામીના આ જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૮૨૧ની ઉપાટ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં કોકાનો પાડો વિસ્તારમાં બે જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત સં૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં કવિ અભિનંદનસ્વામીને ભક્તિભાવપૂર્વક વંદન કરે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય એક શિખરવાળું દર્શાવ્યું છે. જિનાલયમાં પંચાવન આરસપ્રતિમા, નવ ધાતુપ્રતિમા અને પગલાંની એક જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયેલો છે. જિનાલયમાં નવ આરસપ્રતિમા બિરાજમાન હતી જે આજે પણ યથાવત્ છે. વહીવટદાર તરીકે શેઠ મોહનલાલ ત્રિભોવનદાસના નામનો ઉલ્લેખ મળે છે. ઉપરાંત તે સમયે જિનાલયની સ્થિતિ સારી હતી. સ્થાનિક માહિતી પ્રમાણે સં૧૯૮૪માં આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયેલો જણાય છે.
આજે વહીવટદાર તરીકે કોકાના પાડામાં જ રહેતાં શ્રી નાથાલાલ વાડીલાલ શાહ, શ્રી શશીકાંતભાઈ ભોગીલાલ શાહ અને શ્રી નરોત્તમદાસ મોતીલાલ શાહ સેવાઓ આપે છે.
સં. ૧૬૪૮ પછી અને સં. ૧૭૨૯ પૂર્વે આ જિનાલયનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે. વળી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org