________________
પાટણનાં જિનાલયો
૫૩
પાર્શ્વનાથને ગણાવ્યા છે.
સં. ૧૬૬૭માં પન્યાસ શ્રી શાંતિકુશલરચિત “શ્રી ગોડી પાર્શ્વનાથ સ્તવન'માં નિર્દિષ્ટ ૧૦૮ નામોમાં પણ શ્રી કોકા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે.
સદ્ગુરુ શ્રી ગુણવિજયના શિષ્ય સં. ૧૯૮૯ના પોષ વદ ૧૦ના દિને રચેલાં ૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં પણ શ્રી કોકા પાર્શ્વનાથનો ઉલ્લેખ છે.
૧૭મી સદીમાં કવિ શ્રી રત્નકુશલે પાર્શ્વનાથસંખ્યા સ્તવન'માં શ્રી કોકા પાર્શ્વનાથના નામનો નિર્દેશ કર્યો છે.
સં. ૧૭૨૧માં ઉપા, મેઘવિજયે દીવ બંદરમાં ગૂંથેલી “શ્રી પાર્શ્વ નામમાલા' માં શ્રી કોકા પાર્શ્વનાથનું નામ ગૂંચ્યું છે.
સં. ૧૭૪૬માં મુનિરાજ શ્રી શીલવિજયજીએ રચેલા “તીર્થમાલા’ સ્તવનમાં પોતે શ્રી કોકા પાર્શ્વનાથની યાત્રા કર્યાની નોંધ છે.
૧૮મી સદીમાં કવિ સુખસાગરરચિત “વૃદ્ધિવિજયગણિ રાસ'ના પ્રારંભે મંગલને કાજે શ્રી કોકા પાર્શ્વનાથની યાત્રા કર્યાની નોંધ છે.
સં. ૧૮૮૧ના ફાગણ વદ ૪ના દિવસે કવિવર શ્રી ઉત્તમવિજયે રચેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ૧૦૮ નામના છંદમાં શ્રી કોકા પાર્શ્વનાથનો પણ સમાવેશ થાય છે. (શ્રી ૧૦૮ તીર્થ દર્શન ભાગ-૧, સંપા. શ્રી જગવલ્લભવિજય મ. સા.)
આમ, કોકાના પાડામાં કોકા પાર્શ્વનાથનું જિનાલય હોવાનો ઉલ્લેખ ચૈત્યપરિપાટીઓ ઉપરાંત પાર્શ્વનાથ પ્રભાવને નિરૂપતા કે પાર્થનામની માલિકા ગૂંથતા અન્ય સંદર્ભગ્રંથોમાં સાંપડે છે જે તેની પ્રાચીનતા ઉપરાંત તેનું માહાસ્ય સૂચવે છે. વળી, સં. ૧૫૭૬થી અદ્યાપિપર્યત આ જિનાલય તથા તેના વિસ્તારના નામનો ઉલ્લેખ અનવરતપણે મળતો હોવાથી, આ જિનાલય સં. ૧૫૭૬ પૂર્વેનું ચોક્કસપણે ગણી શકાય.
કોકાનો પાડો અભિનંદન સ્વામી (સં. ૧૬૫૯)
કોકા પાર્શ્વનાથના જિનાલયના રંગમંડપમાંથી અભિનંદન સ્વામીના શિખરબંધી જિનાલયમાં પ્રવેશી શકાય છે.
પ્રસ્તુત જિનાલયનું બહારથી અલગ પ્રવેશદ્વાર નથી પરંતુ જિનાલયનો બાહ્ય દેખાવ જોતાં તે કોકા પાર્શ્વનાથના જિનાલયના કરતાં અલગ જિનાલય હોવાનું જ જણાય છે. જો કે રંગમંડપમાં પ્રવેશવાનો અલગ દ્વાર છે પરંતુ તે બંધ રાખવામાં આવે છે. બહારના ભાગના બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org