________________
૫૦
પોલે કોકાનીઁ ભલા, પ્રાસાદ દોય જિણંદ, કોકા પાસ જોહારીઇ, જેમ ટર્લે દુખ નંદ.
૩ ભ પા
પ્રાસાદ બીજું નીરષીયે, અભિનંદન જિનરાય,
મૂરતિ સૂરતિ નિરષતાં નયણે ન તૃપતિ ન થાય. ૪ ભ પા હો. ભવિ
સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં કોકાર્દ પાડે વિસ્તાર તથા તેમાં બે જિનાલયો હોવાનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે ઃ
હવે ઢંઢેરવાડે પેખીઆં, મનોહર દેહરાં ચ્યાર;
વડીગુંદીઈ એક ચૈત્ય છે, કોકાદે પાર્ડે દોય સાર. સં ૧૫
Jain Education International
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં કોકાપાડો વિસ્તાર તથા તેમાં કોકા પાર્શ્વનાથ અને અભિનંદનસ્વામીનાં જિનાલયો હોવાનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
પાટણનાં જિનાલયો
કોકા પાડે નમામિ શ્રુતબલકલિતૈભવ્યલોકૈઃ સુસેવ્યં, કોકા પાર્થાભિધાનં સકલ સુરગણૈઃ સેવ્યમાન ક્રમાબ્તમ્ । પ્રૌઢ તીર્થાધિરાજં ભવજલતરણે યાન પાત્ર ગુણાä, ભક્ત્યા વંદેડભિનંદં જિનપતિમખિલ પ્રાણિ સોયૈકલક્ષમ્
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં અહીં ઉપર્યુક્ત બે જિનાલયોના ઉલ્લેખ ઉપરાંત ૧. શા મોકમચંદ આલમચંદ ૨. શા નાગરદાસ ગુલાબચંદ્ર ૩. શા સૂરજમલ સરૂપચંદનાં ઘરદેરાસરોનો પણ ઉલ્લેખ મળે છે.
કોકાનો પાડો વિસ્તારમાં બે જિનાલયો કોકા પાર્શ્વનાથ તથા અભિનંદનસ્વામી— હોવાનો ઉલ્લેખ સાંપડે છે. સં ૧૭૨૯માં, સં. ૧૭૭૭માં, સં. ૧૮૨૧માં, સં. ૧૯૫૯માં તથા સં ૨૦૧૦માં અને આજે પણ કોકાનો પાડો વિસ્તાર છે અને તેમાં ઉપર્યુક્ત બે જિનાલયો જ વિદ્યમાન છે. જો કે, આજે અહીં ઘરદેરાસરો નથી.
કોકાનો પાડો
કોકા પાર્શ્વનાથ (સં. ૧૫૭૬ પૂર્વે)
113 11
For Personal & Private Use Only
કોકાનો પાડો પાટણનો અતિ પ્રાચીન વિસ્તાર છે. કોકા પાર્શ્વનાથના આ જિનાલયને કા૨ણે આ વિસ્તાર કોકાનો પાડો નામથી પ્રચલિત થયેલો હોવાનું જણાય છે અને એ જ તેની મહત્તા છે ને ! બહારથી જ જિનાલયનો દેખાવ ભવ્ય છે અને જિનાલયમાં બિરાજમાન ભગવાન ભવ્યાતિભવ્ય ! જિનાલય શિખરબંધી છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૧૨)
www.jainelibrary.org