________________
પાટણનાં જિનાલયો
મુખ્ય દરવાજો રંગીન કોતરણીવાળો છે. તેની બે બાજુની દીવાલો પર હાથી ચીતરેલા છે. પગથિયાં ચડતાં જ કોતરણીયુક્ત થાંભલાઓ દેખાય છે. થાંભલાઓને જોડતી સુંદર કમાનો છે. પગથિયાંની નીચેની દીવાલ પર નર્તકી, મલ્લ તથા દેવીની કૃતિ છે. નર્તકીઓની વચ્ચે અર્ધકમાનાકારની શિલ્પાકૃતિ અને તેની ઉપર પણ પોપટ તથા નર્તકીઓની સુંદર શિલ્પાકૃતિઓ છે. જિનાલયમાં પ્રવેશવાનો દ૨વાજો તથા તેની આજુબાજુની બારીઓ ઉપર પણ સુંદર રંગીન કોતરણી છે. દ્વા૨ની ઉપરના ભાગમાં પાંચ શિખરવાળી રંગસભર શિલ્પાકૃતિ છે. બારી તથા દ્વારની બારસાખ પણ રંગીન કોતરણીવાળી છે. ખૂણામાં એક બારી ઉપર કમાન છે તથા પાર્શ્વનાથને વંદન કરતાં રાજારાણીનું દશ્ય ઉપસાવવામાં આવ્યું છે. બીજી એક બારીની ઉપરની દીવાલમાં, કમાનની નીચેના ભાગના દશ્યમાં કૃષ્ણ મહારાજાને બે દાસીઓ ચામર ઢાળે છે અને સાથે બે ગાયો બેઠેલી હોય તેવું જોવા મળે છે.
૫૧
રંગમંડપ વિશાળ છે. ઘુમ્મટમાં સુંદર રંગકામ છે. મૂળનાયક ભગવાનની સામેના ભાગમાં આવેલી રંગમંડપની દીવાલમાં જમણી બાજુએ પાર્શ્વયક્ષની તથા બીજી બાજુએ પદ્માવતીદેવી અને ભૈરવજીની મૂર્તિ છે. જમણી બાજુની દીવાલે ગોખલામાં સુધર્માસ્વામી ગણધરની મૂર્તિ તથા ડાબી બાજુની દીવાલે ચોવીસ ભગવાનનો આરસમાં કોતરેલ પટ છે. વળી, શત્રુંજયનો આરસનો પટ તથા ગિરનારજીનો પટ ત્યાં સોહે છે.
ગર્ભગૃહને પાંચ દ્વાર છે. ચાંદીની છત્રીમાં બિરાજમાન મૂળનાયક અતિ મનોહર લાગે છે. ૩૩' ઊંચાઈ ધરાવતી મૂળનાયક શ્રી કોકા પાર્શ્વનાથની પ્રતિમાની બેઠકનો ભાગ ચાંદીનો છે જેમાં અષ્ટમંગલ અને લાંછન ઉપસાવેલ છે. ગભારામાં તથા રંગમંડપમાં મળીને ત્રેવીસ આરસપ્રતિમા છે જે પૈકી બે કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. તથા ત્રેસઠ ધાતુપ્રતિમા છે. અહીં પગલાંની બે જોડ છે જે પૈકી એક ઉપર સં ૧૭૭૬નો ઉલ્લેખ જોવા મળે છે.
મૂળનાયકની જમણી બાજુના પ્રથમ ગર્ભદ્વાર સન્મુખ શ્રી નેમિનાથ તથા દ્વિતીય ગભારે કાઉસ્સગ્ગ મુદ્રામાં શ્યામ આરસની પ્રતિમા છે તથા ડાબી બાજુના પ્રથમ ગર્ભદ્વાર સન્મુખ શ્રી મહાવીરસ્વામી તથા દ્વિતીય ગભારે જમણા ગભારાની પેઠે જ કાઉસ્સગ્ગ મુદ્રામાં શ્યામલ આરસની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક કોકા પાર્શ્વનાથની પ્રતિમાને લાલ લેપ કરેલો છે. તેથી મૂર્તિલેખ અંગેની માહિતી ઉપલબ્ધ નથી. આજુબાજુના ગર્ભદ્વાર સન્મુખ બિરાજમાન કાઉસ્સગિયા પ્રતિમા પર પણ લેખ ઉપલબ્ધ થયો નથી.
જિનાલયમાં સં. ૧૯૮૪માં પુનઃપ્રતિષ્ઠા થયાનું જાણવા મળે છે અને તેથી જૂની વર્ષગાંઠ મહા વદ એકમ અને નવી વર્ષગાંઠ વૈશાખ સુદ પૂનમના દિને ઊજવાય છે.
ઐતિહાસિક સંદર્ભ
વિક્રમના ૧૬મા સૈકા દરમ્યાનનાં જિનાલયો પાટણમાં આજે બહુ જ ઓછી સંખ્યામાં વિદ્યમાન છે. કોકા પાર્શ્વનાથનું જિનાલય તે પૈકીનું એક છે.
અગાઉ જણાવ્યા પ્રમાણે આ જિનાલયનો ઉલ્લેખ સં ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org