________________
४८
પાટણનાં જિનાલયો
દર્શાવ્યા પછી દકાલકોટડી એ નામના વિસ્તારમાં એક ચૈત્યનો ઉલ્લેખ થયેલો છે. સુગાલકોટડી માટે જ આ શબ્દ પ્રયોગ થયો છે. જાણવા મળ્યું છે તે પ્રમાણે છપ્પનિયા દુકાળના સમયે આ સ્થળે સદાવ્રત ચાલતું હતું. દુકાળિયાઓને અહીં એક વાર રોટલી-દાળનું જમણ અપાતું. આ સ્થળ સુગાલકોટડીના ખૂણે છે.. આજે એ થંભણાજી-ઠમણાજીની વાડી તરીકે ઓળખાય છે.
દકાલ કોટડી એક દીપતું, સાલવી વાડે આઠ;
મલ્લી પડિ (પાડે) મલ્લી પાસજી, પૂજા કરો શુભ ઠાઠ. ૧૬ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં કોટાપુરવાસી ધર્મશાળામાં સ્થંભન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે :
નમામિ કોટાપુરવાસિ ધર્મશાલાસ્થિત સ્થંભન પાર્શ્વનાથ .
શ્યામચ્છવિ મેઘમવાત્ર ભવ્ય કલાપિનાં માનસમોદદ ચ IIણા સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં ઠમણાજીની ધર્મશાળા – એ મુજબનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલય ધાબાબંધી હતું. જિનાલયમાં સાત આરસપ્રતિમા તથા સોળ ધાતુપ્રતિમા વિદ્યમાન હતી અને જિનાલયના બાંધકામની સ્થિતિ સારી હોવાની નોંધ છે.
ત્યારબાદ અદ્યાપિપર્યત કોટાવાલાની ધર્મશાળામાં સ્થંભન પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ઘુમ્મટબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં ત્રણ આરસપ્રતિમા અને ચાર ધાતુપ્રતિમા વિદ્યમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શ્રી પ્રેમચંદ કજોડીલાલ દ્વારા થતો હતો.
આજે જિનાલયમાં કુલ ચાર આરસપ્રતિમા છે. વહીવટદાર તરીકે મુંબઈનિવાસી શ્રી રમેશભાઈ ગજેન્દ્રકુમાર કોટાવાલા સેવાઓ આપી રહ્યા છે.
ટૂંકમાં આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૭૨૯માં મળે છે. સં. ૧૬૪૮માં રચાયેલી લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ જિનાલયનો ઉલ્લેખ મળતો નથી. અર્થાતુ આ જિનાલય સં. ૧૬૪૮ પછી અને સં. ૧૭૨૯ પૂર્વે બન્યું છે તે નિશ્ચિતપણે કહી શકાય. એનો મૂર્તિલેખ સં૧૬૬૪નો છે તેથી આ જિનાલય સં૧૯૬૪માં બન્યું હોય તેવો વિશેષ સંભવ છે.
કોકાનો પાડો
પાટણમાં કોકાનો પાડો ઘણો જ પ્રાચીન વિસ્તાર હોવાનું માલૂમ પડ્યું છે. ૧૬મી સદીથી અદ્યાપિપર્યત આ વિસ્તારના નામમાં કશોય ફેરફાર થયો નથી. જુદા જુદા સમયની ચૈત્યપરિપાટીઓ તથા અન્ય સંદર્ભે તપાસતાં, તેમાં કોકાવાડો અથવા કોકાનો પાડો નામના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org