________________
પાટણનાં જિનાલયો
ઘુમ્મટબંધી જિનાલય વિદ્યમાન છે.
સંવત ૧૯૮૨માં પૂનમચંદ કરમચંદ કોટાવાલા દ્વારા આ જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હતો અને તે અંગેનો ઉલ્લેખ જિનાલયની બહાર કોતરેલા લેખમાં સ્પષ્ટ વાંચી શકાય છે. લેખમાં ‘શ્રી સ્તંભનપાર્શ્વનાથજી જીર્ણોદ્વાર સંવત ૧૯૮૨, પાટણ રાવબહાદુર શેઠ પુનમચંદ કરમચંદ કોટાવાલા' મુજબનું લખાણ છે. જિનાલયની બહારની બાજુએ આરસની એક નાની છત્રીની રચના કરેલી છે પરંતુ તેની નીચે કોઈ મૂર્તિ કે પગલાં નથી.
૪૭
નાના રંગમંડપમાં પાર્શ્વનાથના જીવનના કેટલાક પ્રસંગો ચિત્રિત કરેલા છે. જિનાલયમાં મૂળનાયક શ્રી સ્થંભન પાર્શ્વનાથની ૨૩” ઊંચાઈ ધરાવતી પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમામાં નાગની ફણા વિશિષ્ટ છે, વિરલ છે. પ્રતિમાની પાછળથી છેક નીચે લાંછન પાસે નાગની પૂંછડી દેખાય છે અને નાગની આકૃતિ ઉપર જતાં પ્રતિમાના મસ્તકે ફણાસ્વરૂપે આવિર્ભાવ પામે છે. વળી, અહીં કાષ્ઠનાં સુંદર સિદ્ધચક્રજી પણ દર્શનીય છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં કુલ ચાર આરસપ્રતિમા બિરાજમાન છે. તે પૈકી ત્રણ પોષ’– એ શ્યામલ છે. મૂળનાયક શ્રી સ્થંભન પાર્શ્વનાથની પ્રતિમા પર ‘સં. ૧૬૬૪ મુજબનો લેખ છે જે તેની પ્રાચીનતાનો નિર્દેશ કરે છે. મૂળનાયકના ડાબે ગભારે શાંતિનાથની શ્યામ પ્રતિમા તથા જમણે ગભારે નેમિનાથની શ્યામ પ્રતિમા બિરાજે છે. અહીં વીસ ધાતુપ્રતિમા છે. તે પૈકી ધાતુની એક પ્રતિમા ૭” ઇંચની છે.
ઐતિહાસિક સંદર્ભ
જે વિસ્તારમાં કોટાવાલાની ધર્મશાળા આવેલી છે તે વિસ્તાર અગાઉ સુગાલકોટડી નામે પ્રચલિત હતો.
સં. ૧૭૨૯માં રચાયેલી પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સુગાલકોટડી વિસ્તારમાં સ્થંભન પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિમાં મળે છે : સુગાલ કોટડી પ્રાસાદ એક, થંભણો પાર્શ્વનાથ ॥ ધર્મનાથ નઇ શાંતિનાથ, શિવપુરીનો સાથ
119211
આજે, જમણે-ડાબે ગભારે નેમિનાથ તથા શાંતિનાથ છે, ધર્મનાથ નથી.
કોટાવાલાની ધર્મશાળાનો આજનો વિસ્તાર સં. ૧૭૭૭માં પણ સુગાલકોટડીના નામે જાણીતો હતો. સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આ જિનાલયનો ઉલ્લેખ મળે છે :
પોલિં સુગાલકોટડી તણે શ્રી થંભણપાસ વિરાજે રે,
કલીકાલે મહિમા ઘણો થંભનયર માંહે છાજે રે. ૫ પા
સં. ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં કોકાનો પાડો વિસ્તાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org