________________
પાટણનાં જિનાલયો સં. ૨૦૧૮માં અષ્ટાપદની ધર્મશાળામાં નીચે મુજબનાં જિનાલયોનો ઉલ્લેખ થયો છે : ૧. ચંદ્રપ્રભુ, ૨. અષ્ટાપદ, ૩. પાંચ મેરુ, ૪. આદેશ્વર (મહેસોરના), ૫. ચંદ્રપ્રભુ (નવા), ૬. આદેશ્વર, ૭. સુપાર્શ્વનાથ (ભોંયરામાં), ૮. આચાર્યો વગેરેની મૂર્તિઓ દાદાજી વગેરેના સ્તૂપો (નીચે ચોકમાં).
એટલે કે તે સમયે ચંદ્રપ્રભુ (નવા) તથા આદેશ્વર એમ બે મૂળનાયક ભગવાનનો ઉલ્લેખ પ્રથમ વાર મળે છે.
આજે અષ્ટાપદના જિનાલયમાં ચંદ્રપ્રભુ, ભોંયરામાં સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, આદેશ્વર, આદેશ્વર, અષ્ટાપદ તથા મેરુશિખરની રચના છે.
અત્રે એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે ખડખોટડીમાં જવા માટે અષ્ટાપદની ખડકીમાં અગાઉ એક બારી હતી. હવે આ રસ્તો બંધ છે. અર્થાત અષ્ટાપદની પાછળના ભાગે ખડાખોટડી વિસ્તાર છે. આ વિસ્તારો અરસપરસ એક યા બીજા નામે ઓળખાતા હોય અથવા નજીકના વિસ્તારનાં જિનાલયો હોવાથી (Merge થયાં હોય) કાળક્રમે મોટા જિનાલયોમાં સમાવિષ્ટ થયાં હોય.
આજે જિનાલયનો વહીવટ શ્રી પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર ટ્રસ્ટ હસ્તક છે.
ટૂંકમાં અષ્ટાપદનું ચંદ્રપ્રભુનું જિનાલય સં. ૧૫૭૬ પૂર્વેનું છે. સુપાર્શ્વનાથની પ્રતિમા પર . સં. ૧૬૫૯નો લેખ છે. સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ખરાકોટડી વિસ્તારમાં પાર્શ્વનાથ-સુપાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. આજે અષ્ટાપદના જિનાલયના ભોંયરામાં મૂળનાયક સુપાર્શ્વનાથની જમણી બાજુ પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન છે. તેના પર સં. ૧૬૭૦નો લેખ છે. અમારી માન્યતા પ્રમાણે સુપાર્શ્વનાથનું જિનાલય સં. ૧૭૭૭ પૂર્વેનું છે.
આજે ગુરુમંદિરની ઉપર આવેલ ચંદ્રપ્રભુની પ્રતિમા પર સં. ૧૯૯૪નો લેખ છે. તેનો સૌ પ્રથમ ઉલ્લેખ સં૨૦૧૮માં મળે છે. સં. ૨૦૦૮માં તથા સં. ૨૦૧૮માં મળતો નથી. એટલે કે તે જિનાલય સં. ૨૦૧૮ પૂર્વેનું છે. એક આદેશ્વરનો ઉલ્લેખ સં. ૧૯૬૭માં મળે છે
જ્યારે બીજા આદેશ્વરનો ઉલ્લેખ સં. ૨૦૧૮માં મળે છે. એટલે કે બેમાંના એક આદેશ્વર સં. ૧૯૬૭ પૂર્વેના અને બીજા આદેશ્વર સં. ૨૦૧૮ પૂર્વેના છે.
કોટાવાલા જૈન ધર્મશાળા, આઝાદ ચોક
સ્થંભન પાર્શ્વનાથ (સં. ૧૬૬૪) પંચાસરા પાર્શ્વનાથના જિનાલયની પાછળના ભાગમાં સામે જ આઝાદ ચોકમાં આવેલી પાનાચંદ ઉત્તમચંદ કોટાવાલાની ધર્મશાળામાં મધ્યે શ્રી સ્થંભન પાર્શ્વનાથનું સુંદર, નાનું અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org