SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૪૩ આ જિનાલયનો ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં થયેલો છે : અષ્ટાપદિ ચંદ્રપ્રભ દેવ, નર નરપતિ બહુ સારઇ દેવ, " ઊપની ઊલટ હેવ. અષ્ટકમ ચૂરઈ અટ્ટમ જિણ, દીઠઉ નયણે ધન તિ અમ્ય દિન, જગબંધવ જગદેવ. ૧૪ વાજઇ મદુલ અતિહિં રસાલ, તિવલી તાલ અનઇ કંસાલ, ગાવઇ અપછર બાલ. આરતી મંગલ ઉઝમાલ, ચરચઇ ચંદનિ ગુણે વિસાલ, પ્રભુતનું અતિ સુકમાલ. ૧૫ ત્યારબાદ સં૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં અષ્ટાપદ વિસ્તારમાં ચંદ્રપ્રભુનાં બે જિનાલયો ઉપરાંત પાંચ ઘરદેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. ૧. શાંતિનાથ (સાહ મેઘાના ઘરે), ૨. ચંદ્રપ્રભુ (ઠાકર હરષાના ઘરે), ૩. પાર્શ્વનાથ (નરસંગ ઠાકરના ઘરે), ૪. ચંદ્રપ્રભુ (આસા ઠાકરનું) અને પ. પાર્શ્વનાથ (હાંસા ઠાકરના ઘરે). જન્મ કરુ સપવિત્ર ભાવના ભાવીઈ એ, અષ્ટાપદ ભણી સાંચર્યા એ પ્રતિમા એકસુ સાઠિ સાત ઊપરિ કહી, ચંદપ્રભુ તિહાં પરવર્યા એ તોરણ તણૂય મંડાણ થાભે કોરણીઅ, પત્થર જામલિ પૂતલી એ કરતી નાટારંભ જિનવર, આગલિ દીઠઈ મનિ પૂગી રલી એ સહા મેઘા ઘરમાંહિ શાંતિ જિણસર, ત્રણ પ્રતિમા મનમું ધરી એ મગતાફલમઈ હાર પૂજી દીસઇએ, સોવનિમાં ફૂલઈ કરી એ ઠાકર હરષા ઘરિ ફટિક રત્ન પ્રતિમા, ચંદપ્રભ જિનવર તણી એ તિહાં પ્રતિમા જિન ચ્યાર વંદી આવીયા, નરસંગ ઠાકર ઘરભણી એ વંદા પાસ નિણંદ પ્રતિમા યાર એ, દેહ કાંતિ સોવત્ર તણી એ છત્ર ભલા સિરિ સોઇ, દેશી મોહી) દેહરી જિન દીપાં ઘણી એ આણંદિલ મન માહિ દેહરાસુર દેવી, ઘરિ આસા ઠાકર તણઇ એ સિષરબદ્ધ અવતાર ત્રણિ પ્રતિમા વાંદી, ચંદ લંછણ જે જિન તણઈ એ ૮૫ વામા દેવિ મલ્હાર નીલવરણ કાંતિ, હાંસા ઠાકર ઘરિ કહીઈ એ નવ પ્રતિમા નવ અંગિ પૂજી ચંગિ એ, સિંહાસણિ બઈઠી સહી એ ૮૬ દેહરું સુંદર સોહઈ સુરનર મોહઈ એ, ચિત્ત દિત્ત તિહાં દીસઇ ઘણી એ પ્રતિમા ચંદપ્રભ સ્વામિ મોહન મૂરતિ જોતા, અતિ રલીઆમણી એ ૮૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy