________________
૪૨
પાટણનાં જિનાલયો
ગભારે આદેશ્વર બિરાજમાન છે.
અહીંથી અન્યત્ર પ્રતિમાઓ પધરાવવામાં આવેલ છે તેની વિગત નીચે પ્રમાણે છે : ક્રમ નામ ઊંચાઈ સ્થળ સાલ વિ. નોંધ ૧. સુમતિનાથ ૧૫” દહીસર
મૂળનાયકની જમણી બાજુની પ્રતિમા
(વાસુપૂજય જૈન શ્વેમૂડ પૂ. સંઘ) ૨. નેમિનાથ ૨૭” ભીંવડી (થાણા) ૧૯૯૭ ૩. આદેશ્વર ૪૧” પૂના ૧૯૯૬ (શ્રી શત્રુંજય ભક્તામર ટેમ્પલ ટ્રસ્ટ
શ્રી જૈન શ્વે, મૂડ પૂસંઘ) ૪. આદેશ્વર ૨૪” અમદાવાદ ૧૯૯૬ મૂળનાયકની ડાબી બાજુની પ્રતિમા
(નરોડા, જૈન સંઘ). ૫. આદેશ્વર ૩૦” ડોંબીવલી(પૂર્વ) ૧૯૯૬ શાંતિનગર, થાણા
અષ્ટાપદ શ્રી ચંદ્રપ્રભુના ગભારાની તથા રંગમંડપની સામે જ અષ્ટાપદજીનું નામ આ જિનાલયને મળ્યું છે તે અષ્ટાપદ તથા મેરુશિખરની રચનાવાળો ગભારો છે. આને અલગ જિનાલય ગણવામાં આવતું નથી. ખુલ્લા ચોકમાં આવેલું હોવાથી તાપ અને વર્ષોથી રક્ષણ માટે ઉપરની બાજુએ કાચથી બંધ કરેલ છે. દીવાલો પર ટાઇલ્સ જડેલ છે જે બાજુ દસ પ્રતિમા છે ત્યાંથી જો બહાર નીકળીએ તો સામે ગુરુમંદિરના ઉપરના દેવકુલિકાવાળા ચંદ્રપ્રભુના જિનાલયમાં જઈ શકાય છે. અષ્ટાપદની રચના છે તેની સામે જ મેરુપર્વતની રચના છે. અષ્ટાપદના ૪+૮+૧૦+૨= ૨૪ અને મેરુપર્વતની રચના પરના ચાર મળીને કુલ અહીં અઠ્ઠાવીસ પ્રતિમાઓ છે.
અષ્ટાપદ રચનામાં સંભવનાથની પ્રતિમા પરના લેખમાં સં. ૧૮૪૪ અને આચાર્ય વિજયદેવસૂરિ અને પદ્મવિજયગણિનાં નામ વંચાય છે જ્યારે અન્ય પ્રતિમા પર સંવત વાંચી શકાતી નથી. પણ આચાર્ય ભગવંતોનાં નામ વાંચી શકાય છે.
અષ્ટાપદ રચનામાં જે બાજુ બે પ્રતિમાઓ બિરાજમાન છે તે આદેશ્વર અને અજિતનાથની છે અને તે અનુક્રમે ૧૭” અને ૧૯” ઊંચાઈ ધરાવે છે. આ બે પ્રતિમાઓના સામેના ભાગે જ પાંચ મેરુશિખરની રચના છે. તેમાં બિરાજમાન પાંચ ચૌમુખીની પ્રતિમાં ઘણી પ્રાચીન જણાય છે. ત્યાં કોઈ લેખ નથી.
ઐતિહાસિક સંદર્ભ અષ્ટાપદના આ જિનાલયમાં આજે ચંદ્રપ્રભુ, ભોંયરામાં સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, આદેશ્વર, આદેશ્વર, અષ્ટાપદ, મેરુશિખર તથા ગુરુમંદિરની રચના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org