________________
૪૦
પાટણનાં જિનાલયો વચ્ચે ગુરુમૂર્તિઓ છે તેની નીચે જે પગલાં છે તેની ઉપર સં. ૧૭૭૮ કારતક સુદિ ૧૩ લખેલ છે અને તે અનુક્રમે નીચેના ગુરુઓનાં છે : ભટ્ટારક વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ, વિજયપ્રભસૂરિ, આચાર્ય વિજયસિંહસૂરિ, મહોપાધ્યાય શ્રી કીર્તિવિજય, પં. શ્રી રૂપવિજયગણિ અને ભાવવિજય.
ડાબી બાજુ – સારંગની સામેની દીવાલે પગલાં છે તેની નીચે સં. ૧૯૭૪ લખેલ છે અને શ્રી માનહેમચંદ્રસૂરિનું નામ છે.
ચંદ્રપ્રભુ (ગુરુમંદિરની ઉપર) આ જિનાલયની બહારની બન્ને બાજુએ એક એક દેવકુલિકા આવેલી છે. બન્ને દેવકુલિકામાં મૂળનાયક શ્રી આદેશ્વરની મોટા કદની પ્રતિમાઓ છે. અહીં બન્નેમાં ધાતુપ્રતિમા કે યંત્રો નથી. આરસપ્રતિમા બન્ને સ્થળે કુલ ત્રણ ત્રણ છે.
જિનાલયમાં ૧૩” ઊંચાઈ ધરાવતી શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. જમણે ગભારે શ્રી સંભવનાથ અને ડાબે ગભારે શ્રી પદ્મપ્રભુ બિરાજમાન છે. ત્રણે પ્રતિમા પર સમાન લેખ કોતરેલો છે. લેખમાં સં. ૧૯૯૪ વૈ. સુ. ૪ અને પ્રતિષ્ઠા કરાવનાર વિજયનેમિસૂરિના પટ્ટાલંકાર વિજયોદયસૂરિનો નામોલ્લેખ છે. તદુપરાંત ઝવેરચંદ સુત જેશંગ તથા ધર્મપત્ની ચંપાનો ઉલ્લેખ પણ છે. અહીં પણ ધાતુપ્રતિમા કે યંત્રો નથી. કુલ બાર આરસપ્રતિમા છે. અર્થાત દેવકુલિકા સાથે આ જિનાલયમાં અઢાર આરસપ્રતિમા છે.
સુપાર્શ્વનાથ (ભોંયરામાં) ગુરુમંદિરની બાજુમાં અને ચંદ્રપ્રભુ અને અષ્ટાપદનાં જિનાલયો છે. તેની નીચેના ભોંયરામાં ૫૫” ઊંચાઈ ધરાવતી, કલાત્મક પરિકરવાળી શ્રી સુપાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ સાત આરસપ્રતિમા છે. ઉપરાંત ત્રણ પેનલમાં થઈને કુલ ચૌદ આરસપ્રતિમા પૈકી પાંચ કાઉસ્સગ્ગિયા અને નવ નાના પ્રતિમા છે. અહીં ધાતુપ્રતિમા નથી.
મૂળનાયકની પ્રતિમા પર લેખ છે. તેમાં “સં. ૧૬૫૯ વર્ષે વૈશાખ વદિ ૬ ગુર શ્રી પત્તનનગર સો. ગાંગા ભાર્યા હીરુ સુત સો. દેવચંદ ભાર્યા મટકુ સુત સો. તેજપાલનાસ્ના ભાર્યા અપુ પુત્ર સો. વિદ્યાધર સો. લહુઆ પ્રમુખપરિવારયુતન સ્વશ્રેયસે શ્રી સુપાર્શ્વબિંબ કારિત પ્રતિષ્ઠિતં ચ શ્રીતપાગચ્છ ભ. શ્રી હેમવિમલસૂરિ પટ્ટાલંકાર ભ. શ્રી આનંદવિમલસૂરિ પટ્ટમુકુટમણિ ભ. શ્રી વિજયદાનસૂરિપટ્ટ કોટીરહીરભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટમકરાકર સુધાકર ભટ્ટારક શ્રી પરંપરાપુરંદરસુવિદિત .......” વંચાય છે.
મૂળનાયકની જમણે ગભારે શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખમાં “સં. ૧૬૭૦ વર્ષે વિ. સુ. ૫ શ્રી વિજયસેનસૂરિભિઃ .......” એમ વંચાય છે. ડાબે ગભારે શ્રી મહાવીરસ્વામી બિરાજે છે.
રંગમંડપ વિશાળ – વીસ ચોકીવાળો – છે. અહીં અંબિકાદેવીની પ્રાચીન આરસમૂર્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org