________________
પાટણનાં જિનાલયો બાજુના ખૂણામાં આવેલું છે. એમાં બે રીતે પ્રવેશી શકાય. જો પહેલાં ગુરુમંદિરમાં જઈએ તો ગુરુમંદિરની બહાર દાદર છે. ત્યાંથી ઉપર તરફ જઈ આપણી જમણી બાજુ વળીએ એટલે ગુરુમંદિરની ઉપરનું ચંદ્રપ્રભુનું જિનાલય આવે અને સીધા જઈએ તો અષ્ટાપદના જિનાલયના વિશાળ રંગમંડપમાં પ્રવેશ પામીએ. અષ્ટાપદનું જિનાલય બે માળનું એટલે કે ભોંયરાવાળું છે. ભોંયરામાં શ્રી સુપાર્શ્વનાથનું જિનાલય છે અને ઉપર શ્રી ચંદ્રપ્રભુનું જિનાલય છે. ચંદ્રપ્રભુના જિનાલયની બહારના ભાગે અષ્ટાપદ તથા મેરુ પર્વતની રચના છે જેને કારણે આ જિનાલય અષ્ટાપદના જિનાલય તરીકે ઓળખાયું છે. આમ અહીં એક ગુરુમંદિર અને ચાર જિનાલયો (૧. ગુરુમંદિરની ઉપર આવેલું શ્રી ચંદ્રપ્રભુનું જિનાલય, ૨. સુપાર્શ્વનાથનું જિનાલય (ભોયરામાં), ૩. સુપાર્શ્વનાથના જિનાલયની ઉપર આવેલું ચંદ્રપ્રભુનું જિનાલય અને ૪. ચંદ્રપ્રભુના જિનાલયની બહાર અષ્ટાપદનો ગભારો.) હવે આ સંયુક્ત જિનાલયના બધા વિભાગોનું વર્ણન જોઈએ.
ગુરુમંદિર ડહેલાની બિલકુલ સામે દેખાય છે તે ગુરુમંદિર છે. અહીં ત્રણ ગુરુમહારાજની મૂર્તિઓ છે. મળે જે ગુરુમૂર્તિ છે તેની ઉપર નીચે મુજબનો લેખ છે :
સંવત ૧૪૨૯ વર્ષે માઘ વદી ૭) સામે શ્રી કાલિકાચાર્યસંતાને શ્રી ભાવદેવાચાર્યગચ્છે શ્રી વિજયસિંહસૂરિ પટ્ટાલંકાર શ્રી વીરસૂરિણાં મૂર્તિ શ્રી જિનદેવસૂરિ પ્ર/
જમણી બાજુની ગુરુમૂર્તિ પર નીચે મુજબનું લખાણ છે :
સં. ૧૪૨૦ વર્ષે વૈશાખ સુદિ ૧૦ શુકે શ્રી સહગણગચ્છ શ્રી પ્રયાગમૂરિસંતાને શ્રી .લગ. સૂરિ પ... જગ.. મૂર્તિ ....”
ડાબી બાજુની મૂર્તિ પર લેખ નથી.
જમણી બાજુના ગોખમાં શેઠ શેઠાણીની કે રાજા રાણીની મૂર્તિ છે. તેનો લેખ નીચે પ્રમાણે છે :
“સંવત ૧૪૩૪ વર્ષે .. શ્રી સારંગ ભાર્યા સિંગારદેવી ... પ્રાસાદે સયરેલ ૫. મૂર્તિ દિ. સહિતેન કારાપિત પ્રતિષ્ઠિતં ચ !”
- જમણી બાજુના ગોખની સામેની બાજુની દીવાલે જીર્ણ થયેલ સાધ્વીજીની મૂર્તિનો લેખ નીચે પ્રમાણે છે :
સંવત ૧૨૫૫ કાર્તિક વદિ ૧૧ બુધે દેમતીગણિ ..ણિ ના ..” (જુઓ ફોટોગ્રાફ નં. ૧૧)
ગુરુમૂર્તિઓની આગળ પગલાંની બાર જોડ છે. સારંગની મૂર્તિની નીચે ૧. નેમસાગર ૨. સુખસાગર અને ૩. રવિસાગરના પગલાં છે. અહીં સં. ૧૯૭૪ વૈશાખ શુક્લ પછી લખેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org