________________
૩૮
ગુરુમંદિર
પંચાસરા પાર્શ્વનાથનું કંપાઉંડ, પીંપળાશેર
પીપળાશેરીમાં પંચાસરા પાર્શ્વનાથના કંપાઉંડમાં પ્રવેશતાં ભીડભંજન પાર્શ્વનાથ, મહાવીરસ્વામી, ચિંતામણિ પાર્શ્વનાથ તથા નવખંડા પાર્શ્વનાથનાં જિનાલયોની બાજુમાં ગુરુમંદિર આવેલું છે.
ત્રણ દ્વારયુક્ત આ ગુરુમંદિરમાં મધ્યે આ શ્રી હીરવિજયસૂરિ મ. સાની આરસની ગુરુમૂર્તિ બિરાજે છે. આ મૂર્તિ પરના લેખમાં સં ૧૬૨૨ મહો સોમવિજયગણનો ઉલ્લેખ છે. તેની જમણી બાજુ આ શ્રી વિજયદેવસૂરિ મ. સા. તથા ડાબી બાજુ વિજયસેનસૂરિની ગુરુમૂર્તિ બિરાજે છે. આ બંને મૂર્તિઓ પર સં. ૧૬૬૪નો લેખ છે. આ શ્રી વિજયસેનસૂરિની મૂર્તિની બાજુમાં આ. શ્રી વિજયસિદ્ધિસૂરિની મૂર્તિ બિરાજમાન છે. તેના પર સં. ૧૫૯૮નો લેખ છે. આ મૂર્તિની બાજુમાં આરસનાં પગલાંની એક જોડ છે.
પાટણનાં જિનાલયો
જમણે દ્વાર સન્મુખ આ શ્રી દેવચંદ્રસૂરિની ગુરુમૂર્તિ છે. તેઓની જમણી બાજુ આ શ્રી કક્કસૂરિ તથા ડાબી બાજુ આ શ્રી યશોદેવસૂરિની મૂર્તિ છે. આ શ્રી કક્કસૂરિની મૂર્તિ પર સં ૧૪૫૨ (જુઓ ફોટોગ્રાફ નં. ૮) તથા આ શ્રી યશોદેવસૂરિની મૂર્તિ પર સં ૧૩૮૭નો લેખ છે. અહીં આઠ પગલાંની જોડ છે તથા સં ૧૫૨૪નો લેખ ધરાવતી તીર્થંકરની આરસપ્રતિમા છે.
ડાબે દ્વાર સન્મુખ આ શ્રી વલ્લભસૂરિ, તેમની જમણી બાજુ પ્રવર્તક કાંતિવિજયજી તથા જમણી બાજુ શાંતમૂર્તિ હંસવિજયજીની મૂર્તિ છે. આ દરેક મૂર્તિઓ પર સં- ૨૦૧૧ના લેખ છે. અહીં પણ એક પ્રતિમા વિશિષ્ટ પ્રકારની છે. આ પ્રતિમાના પાછળના ભાગમાં ઓઘો છે. આ પ્રતિમાની બાજુમાં જ જુગસૂરિના ભ્રાતૃ પં રતનની સં. ૧૩૪૯નો લેખ ધરાવતી નવકારવાળી મુદ્રામાં પ્રતિમા છે.
અષ્ટાપદ
ચંદ્રપ્રભુ (સં. ૧૫૭૬ પૂર્વે) સુપાર્શ્વનાથ (સં. ૧૭૭૭ પૂર્વે)
Jain Education International
પીપળાશેરીમાં કેશવચંદ પૌષધશાળાની બરોબર બાજુમાં જ અષ્ટાપદની ધર્મશાળામાં જવાનું ડહેલું છે. ડહેલાંની સામે જ જિનાલય અને ગુરુમંદિર નજરે પડે છે. આ જિનાલયની રચના સમજવા જેવી છે. ડહેલાંની સામે જે દેખાય છે તે ગુરુમંદિર છે. તેની ઉપર બે દેવકુલિકાવાળું ચંદ્રપ્રભુનું જિનાલય છે. ઉપરના આ જિનાલયમાં જવા માટે ગુરુમંદિરમાંથી રસ્તો નથી અને અસલ અષ્ટાપદનું જિનાલય તો તેની ડાબી બાજુ અર્થાત્ ડહેલામાં પ્રવેશતાં જમણી
For Personal & Private Use Only
www.jainelibrary.org