SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પાટણનાં જિનાલયો બાબુસાહેબના સંકલ્પ બીજના મહાન વડવૃક્ષ સમાન શોભી રહ્યો છે અને દૂરથી જોનારને પણ તે જોવાને માટે લલચાવે છે. સંવત ૨૦૧૮માં સંપૂર્ણ તૈયાર થયેલું આ ભવ્ય બાવન જિનાલય ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણની પુણ્ય ભૂમિ વિશે સુવિશાળ પટ્ટાંગણમાં એક દેવ વિમાન જેવું શોભી રહ્યું છે. આ દેરાસર જગવિખ્યાત આબુના દેલવાડાનાં જૈન દેરાંઓની ભવ્ય કળાનું સ્મરણ કરાવે છે. હજારો વર્ષો સુધી ભાવુકોને શુભ પ્રેરણા આપી પરમાત્મતત્ત્વનું દર્શન કરાવશે. દૂર દૂરના યાત્રિકોને આકર્ષીને પાવન કરશે અને પૂર્વ પ્રસિદ્ધ પાટણની જવલંત કીર્તિને દિગંત વ્યાપી બનાવશે. શ્રી પંચાસરા પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ભવ્ય છે તેમ આ બાવન જિનાલય પણ ભવ્ય બન્યું છે, જેની પાછળ વપરાયેલું સદ્ દ્રવ્ય અને લેવાયેલો પરિશ્રમ પ્રશંસાને પાત્ર છે. પરમાત્મા પ્રત્યેની ભક્તિ જગતમાં અમર છે. એકવીસમી સદીનું સ્થાપત્ય એકવીસમી સદીના પ્રારંભમાં પાટણની પુણ્યભૂમિ ઉપર નિર્માણ થયેલું આ શ્રી પંચાસરા પાર્શ્વનાથનું નૂતન ભવ્ય બાવન જિનાલય જાણે એકવીસમી સદીએ પોતાના શુભ આગમન વખતે ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણને દિવ્ય ભેટશું અર્પણ કર્યું છે. પંચાસરા પાર્શ્વનાથના જિનાલયનું કંપાઉંડ, પીપળાશેરી ભીડભંજન પાર્શ્વનાથ (સં. ૧૭૭૭ પૂર્વે) શ્રી પંચાસરા પાર્શ્વનાથના જિનાલયના વિશાળ કંપાઉંડમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયના પ્રવેશદ્વારની ડાબી બાજુએ શ્રી ભીડભંજન પાર્શ્વનાથનું શિખરબંધી જિનાલય આવેલું છે. આ જિનાલયની બાજુમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી મહાવીરસ્વામી તથા શ્રી નવખંડા પાર્શ્વનાથનાં જિનાલયો તથા ગુરુમંદિર આવેલું છે. અહીં રંગમંડપની મધ્યે પિત્તળના ચાર દરવાજાવાળા શિખરયુક્ત ચૌમુખી છે જેમાં પહેલા આરસપ્રતિમા હતી તે સં. ૨૦૫૧માં જોગીવાડાના શ્રી શામળા પાર્શ્વનાથના જિનાલયમાં લઈ જવામાં આવી હોવાથી હાલ આ જગ્યામાં ચાર ધાતુપ્રતિમા પ્રતિષ્ઠિત કરેલ છે. અહીં એક ગોખમાં સરસ્વતી દેવીની આરસમૂર્તિ છે. તેના પર સંવત ૧૪૪૦માં આચાર્ય સિંહસૂરિજીએ પોષ સુદી ૧૨ના રોજ પ્રતિષ્ઠા કરાવ્યાનો લેખ છે. ડાબી બાજુએ એક ગોખમાં અંબિકાદેવીની આરસમૂર્તિ છે. ગર્ભદ્વાર ત્રણ છે. મૂળનાયક તરીકે ૧૫” ઊંચાઈ ધરાવતી શ્રી ભીડભંજન પાર્શ્વનાથની પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમાલેખ નથી. અહીં કુલ તેર આરસપ્રતિમા તથા પચાસ ધાતુપ્રતિમા બિરાજે છે. મૂળનાયકની જમણી બાજુ પૂર્વે શાંતિનાથની પ્રતિમા બિરાજમાન હતી જે કલિકુંડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy