________________
૩૮૪
પાટણનાં જિનાલયો
૧૦૯૪
૧૧મી
આ ઉદ્યોતનસૂરિના ઉપદેશથી ચણકશ્રેષ્ઠીએ “ભક્તામર સ્તોત્રનો પાઠ ચાલુ સદીના
કર્યો. ભ. આદીશ્વરનું જિનાલય કરાવ્યું, લક્ષ્મીદેવીના મંદિરનો જીર્ણોદ્ધાર મધ્યમાં
કરાવ્યો અને તીર્થયાત્રાના સંઘો કાઢયાં. ૧૭૭૨
ઉપકેશગચ્છના ૪૭મા આ સિદ્ધસૂરિ (દસમા)એ પાટણમાં શેઠ કપર્દી શાહે કરાવેલા જિનાલયમાં સ્વર્ણમિશ્રિત પિત્તલની મહાવીર સ્વામીની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમાનાં નેત્ર લાખ લાખના મૂલ્યવાળા બે નીલમણિથી બનાવેલાં હતાં.
બાકીનું કામ વપૂનાગ કુલના બ્રહ્મદેવે પૂરું કર્યું. ૧૦૭૩ દેવગુપ્તાચાર્યે પત્તનમાં “નવપદ લઘુવૃત્તિ” અને “નવતત્ત્વ' પ્રકરણ રચ્યાં. ૧૦૮૦ પાટણમાં સુવિહિત સાધુઓને યોગ્ય ઉપાશ્રય બન્યો. ૧૦૮૧ મહમ્મદ ગિઝનવીએ ભારત ઉપર ચડાઈ કરી અને પાટણને તોડીફોડીને
લૂંટી લીધું. ૧૦૮૮ વિમલમંત્રીએ પાટણમાં વિમલવસહી મંદિર બંધાવ્યું. ૧૦૯૦ સૂરાચાર્ય પાટણમાં ગદ્યપદ્યમય નેમિનાથ ચરિત્ર'ની રચના કરી.
આ મુનિચંદ્રસૂરિ પોતાના ગુરુદેવ આ યશોભદ્રસૂરિની સાથે પાટણમાં
ચૈત્યપરિપાટી માટે પધાર્યા. ૧૧૦૨ - મુનિતિલકે જાતે જ સૂરિપદ અંગીકૃત કર્યું. એમનો શિષ્ય પરિવાર તિલક
શાખાથી પ્રસિદ્ધ થયો. ૧૧મી સદી – શ્રીચંદ્રમુનિએ મૂલરાજ નૃપતિના સમયમાં પાટણમાં અપભ્રંશ ભાષામાં (૧૧૫૫ ?). કથાકોષ રચ્યો. ૧૧૦૧ – આ દિનશેખરે માહેશ્વરી વાણિયાઓને ઉપદેશ આપી જૈન બનાવ્યા. પછીનો સમય ૧૧૨૮ - અભયદેવે સમવાય અને ભગવતી ઉપર વૃત્તિઓ રચી. ૧૧૨૯ – ૧. શેઠ દોહડિએ આ નેમિચંદ્રસૂરિએ રચેલી ‘ઉત્તરયણસુત્ત-લઘુવૃત્તિની
પહેલી પ્રતિ પોતાના હાથે લખી હતી.
૨. નેમિચંદ્રસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્ર પર ‘સુખબોધા' નામે વૃત્તિ રચી. ૧૧૩૯ – નેમિચંદ્રસૂરિએ મહાવીરચરિય, રત્નચૂડતિલયસુંદરીકહા ને આખ્યાનમણિકોશ
વગેરે કૃતિઓ રચી. ૧૧૨૬ – આ આર્યરક્ષિતસૂરિના ઉપદેશથી બેણપના કરોડપતિ શેઠ કપર્દિની પુત્રી થી ૧૨૩૬ સમય શ્રી (સોમાઈ)એ પોતાની બહેનપણીઓ સાથે દીક્ષા લીધી. ૧૧૪૬ – ૧. આ. શાલિભદ્રસૂરિએ “મૂલશુદ્ધિ-ટીકા'નું સંશોધન કર્યું હતું.
૨. મંત્રી મુંજાલે મુંજાલવસહી મંદિર બંધાવ્યું. અહીં ‘યોગદષ્ટિસમુચ્ચય' પ્રતિ
તાડપત્ર પર લખાઈ. મુંજાલે એક ઉપાશ્રય બંધાવ્યો હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org