SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ પાટણની જૈન ઘટનાઓની તવારીખ વિક્રમ સંવત પ્રસંગ ૭૫૨ – વનરાજ ચાવડાનો જન્મ વૈશાખ સુદ ૧૧ને દિવસે થયો. ૮૦૨ – વનરાજ ચાવડાએ વૈશાખ સુદ રને દિને અણહિલપુર પાટણનું શિલારોપણ કર્યું, ગુજરાતના મહાન સામ્રાજયનો પાયો નાંખ્યો. ૮૦૨ વનરાજ ચાવડાએ ‘વનરાજ વિહાર બનાવી તેમાં પંચાસરથી લાવેલ આસપાસ ભગવાન પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. ૮િ૨૧ – વિદ્યાધરગચ્છના શ્રાવક નીનાશેઠે પાટણમાં ભગવાન ઋષભદેવનું મોટું પછી મંદિર બંધાવ્યું હતું. ૮૦૨ થી – વનરાજે નીના શેઠને પાટણનો દંડનાયક બનાવ્યો. ૮૨૧આસપાસ ૮૨૧ વનરાજે આચાર્ય શીલગુણસૂરિ તથા આચાર્ય દેવચંદ્રસૂરિના વાસક્ષેપથી પંચાસરમાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો. ૮૦૬પછી – આ બપ્પભટ્ટસૂરિએ પાટણમાં ભગવાન મહાવીરનાં ભવ્યચિત્રોની સ્થાપના ૮૯૦ પહેલાં કરી હતી, જિનપ્રતિષ્ઠાઓ કરી હતી. નીના શેઠે પોતાની માતાનારંગદેવીની યાદમાં નારંગપુર વસાવી તેમાં નાડોલગચ્છના આ ધર્મસૂરિના હાથે ભગવાન પાર્શ્વનાથનું દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી. ૯૯૮ – મૂળરાજનો પાટણમાં રાજ્યાભિષેક થયો. તેણે “મૂળરાજવસતિ' નામે જિનમંદિર, મૂળરાજસ્વામી મંદિર અને ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યાં. ૧૦૫૦ – ૧. આઠ વર્ધમાનસૂરિએ આ વીરમિશ્રગણિને પાટણમાં આચાર્યપદ આપ્યું લગભગ હતું, જેઓ યુગપ્રધાન જયેષ્ઠાંગગણિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા. ૨. પાટણમાં ભગવાન આદિનાથના યાત્રા મહોત્સવ પ્રસંગે શાંતિઉત્સવગૃહમાં કાશ્મીરના કવિ બિલ્ડણની “કર્ણસુંદરી નાટિકા' ભજવાઈ હતી. તેમાં મંત્રી શાંતૂને રાજા વત્સરાજના મહામાત્ય યોગંધરાયણ સાથે સરખાવ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy