________________
૨૨
પાટણનાં જિનાલયો
આ મંદિરની તુલના પર્વત સાથે કરી છે એ જોતાં એનું શિખર કેટલું ઊંચું હશે તેનું અનુમાન થઈ શકે છે.
अंतर्वसद्धनजनाद्भुतभारतो भूर्मा भृश्यतादिति भृशं वनराजदेवः ।
पञ्चासराह्वनवपार्श्वजिनेशवेश्म व्याजादिह क्षितिधरं नवमाततान ॥ વળી એ કાવ્યના છેલ્લા સર્ગમાં (શ્લોક ૨) વસ્તુપાલનાં બાંધકામો વર્ણવતાં કર્તાએ કહ્યું છે કે અણહિલવાડ પાટણમાં પંચાસરા પાર્શ્વનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવીને મંત્રીએ વનરાજની વૃદ્ધત્વને પામેલી કીર્તિને હસ્તાવલંબન આપ્યું હતું :
पञ्चासरा ह्वमणहिल्लपुरीपुरन्ध्रीसीमन्तरत्नमिवापार्श्वजिनेशवेश्म ।
उद्धृत्य येन यशसा जनितो जरत्या हस्तावलम्बनविधिर्वनराजकीर्तेः ॥ નાગેન્દ્રગચ્છના વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિએ સં૧૨૯૦ પૂર્વે ધર્માલ્યુદય અથવા સંઘપતિચરિત્ર નામે પંદર સર્ગનું મહાકાવ્ય રચ્યું છે. કાવ્યની પ્રશસ્તિ(શ્લોક ૩)માં નાગેન્દ્રગચ્છના આચાર્યોની ગુરુપરંપરા આપીને પોતાના ગુરુ વિજયસેનસૂરિ વિશે કર્તા કહે છે કે તેઓ પંચાસરા નામથી ઓળખાતા વનરાજવિહારતીર્થમાં વ્યાખ્યાનો આપતા હતા.
પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાયું ત્યારથી નાગેન્દ્રગચ્છના આચાર્યોનો એ સાથેનો સંબંધ જોતાં આ સ્વાભાવિક છે. વળી પંચાસરાનું મંદિર તે જ વનરાજવિહાર એમ અહીં કર્તાએ સ્પષ્ટ કહ્યું છે.
વસ્તુપાલે એ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એનો ઉલ્લેખ પણ એ કાવ્યના પહેલા સર્ગ(શ્લોક ૨૨)માં છે :
अणहिलपाटकनगरादिशजवनराजकीर्तिकेलिगिरिम् ।
पञ्चासराह्वजिनगृहभुद्धे यछ कुलं च निजम् ॥ સં. ૧૩૩૪માં રચાયેલા પ્રભાચંદ્રસૂરિરચિત પ્રભાવકચરિતના અભયદેવસૂરિચરિતમાં આ તીર્થની ઉત્પત્તિનું સંક્ષિપ્ત બયાન છે.
સં. ૧૩૬૧માં મેરૂતુંગાચાર્યે રચેલા પ્રબંધ ચિંતામણિ નામના ગ્રંથમાં વનરાજે પોતાના ઉપકારી શ્રી શીલગુણસૂરિ પ્રત્યેની કૃતજ્ઞબુદ્ધિથી આ ચૈત્ય નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ છે.
૧૫મી સદીમાં અંચલગચ્છીય આચાર્ય જયશેખરસૂરિએ રચેલાં પંચાસરાવિનંતી સ્તવનમાં, વાચનાચાર્ય કીર્તિમેરુએ રચેલી શાશ્વતા તીર્થમાલામાં અને મેઘ કવિએ રચેલા તીર્થમાલા સ્તવનમાં શ્રી પંચાસરા પાર્શ્વપ્રભુની સ્તુતિ કરવામાં આવી છે.
પાટણની જે ચૈત્યપરિપાટીઓ ઉપલબ્ધ બની છે તે તમામમાં પંચાસરા પાર્શ્વનાથનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પંચાસરમાં પંચાસરા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org