________________
પાટણનાં જિનાલયો
સુરપાલની આરસમૂર્તિઓ છે. અહીં ભોમતીમાં દેરીઓની બહાર દ્વારની આજુબાજુના ગોખમાં પણ પ્રતિમાઓ બિરાજમાન છે. શરૂઆતમાં અનુક્રમે સરસ્વતીદેવી તથા ચક્રેશ્વરીદેવીની મૂર્તિ છે. ભોમતીમાં કુલ બસ્સો અઢાર આરસપ્રતિમા તથા છવ્વીસ ધાતુપ્રતિમા છે. તે પૈકી મોટા ભાગની પ્રતિમાઓ પરના લેખમાં સં ૨૦૧૬ વૈ સુ ૬ સોમવાર શ્રી કાંતિવિજય શિષ્ય મુનિ ચતુરવિજય શિષ્ય આગમ પ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજય, શ્રી રમણિકવિજય, પં. શ્રી વિકાસવિજય આદિ દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ છે. ભોમતીમાંની એક દેરીમાં વરલીથી લાવવામાં આવેલી બે પ્રતિમાઓ છે જે પૈકી એક પ્રતિમા વરલીપાર્શ્વનાથની પ્રતિમા છે. તેના નવ ટુકડાઓને લેપ કરી ભેગા કરવામાં આવ્યા હોય તેમ જણાય છે. આદેશ્વરની પ્રતિમાના પરિકરની રચના માત્ર પાછળ પથ્થર મૂકી કરવામાં આવી છે. તેમાં ઉપરની બાજુએ દેવ-દેવીઓ તથા મસ્તકની પાછળની બાજુએ વર્તુળાકારની રચના છે. આ બન્ને પ્રતિમા શ્યામ આરસની છે.
જિનાલયની શૃંગારચોકીના ઘુમ્મટમાં સુંદર કોતરણી છે. રંગીન પૂતળીઓની રચના કરવામાં આવેલ છે. રંગમંડપમાં પ્રવેશવાના દ્વારની કમાનો પર અષ્ટમંગલ, ૧૪ સુપનો તથા છત પર હાથી અને દેવીની નયનરમ્ય કલાકારીગરી છે. મુખ્ય જિનાલયને ફરતે દીવાલે સુંદર શિલ્પો છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૪ અને નં ૫)
૧૯
રંગમંડપમાં કુલ પાંચ પ્રવેશદ્વાર છે. આ દરેક દ્વાર પર સુંદર કોતરણી છે. રંગમંડપના આજુબાજુના પ્રવેશદ્વારમાં અષ્ટ કર્મનાં ચિત્રો છે. અહીં સામરણયુક્ત ઘુમ્મટમાં કલાત્મક કોતરણી છે. ગર્ભદ્વારની સામે રંગમંડપના બે ગોખમાં બે આરસપ્રતિમા છે. રંગમંડપ મોટો છે. અહીં ઘણો મોટો ઘંટ છે. તેના પર ઘંટાકર્ણવીરના યંત્રનું કોતરકામ છે.
ત્રણ ગર્ભદ્વાર ચાંદીના છે. તે દરેક ગર્ભદ્વાર પર તે તે ગભારાના મૂળનાયકના યક્ષ યક્ષિણી તથા અષ્ટમંગલની કોતરણી છે. મધ્યના દ્વાર પર ચૌદ સુપનો તથા યક્ષ-યક્ષિણીની કોતરણી છે. જમણે ગભારે મહાવીરસ્વામી તથા ડાબે ગભારે ચંદ્રપ્રભુસ્વામી બિરાજમાન છે. જિનાલયના રંગમંડપની દીવાલો તથા ફરસમાં આરસનો ઉપયોગ થયેલો છે. બહારની બાજુની દીવાલો પર મકરાણાના પથ્થર પરનાં કોતરણીયુક્ત શિલ્પો દશ્યમાન થાય છે.
ગભારામાં મૂળનાયક શ્રી પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમા ૪૫”ની છે. જમણે તથા ડાબે ગભારે બિરાજમાન મહાવીરસ્વામી તથા ચંદ્રપ્રભુની પ્રતિમા પણ આટલી જ મોટી છે. આ ગભારામાં કુલ અગિયાર આરસપ્રતિમા અને રંગમંડપના સામસામેના ગોખની થઈ કુલ તેર આરસપ્રતિમા તથા દસ ધાતુપ્રતિમા છે. મૂળનાયકના પરિકર નીચે લેખ છે. તેમાં ‘સં. ૧૬૦૨ વૈ શુ ૧૫ વિજયસેનસૂરિ’ વંચાય છે. અહીં સં. ૨૦૧૬ની સાલની ૧૧”ની ઊંચાઈ ધરાવતી પાર્શ્વનાથની સુંદર પ્રતિમા છે.
આ જિનાલયને પદ્માવર્ત મહાપ્રાસાદ તરીકે ઓળખવામાં પણ આવે છે. આ નામ પાડવાનું કારણ એ છે કે પંચાસરાથી આણેલ પદ્માવતી તથા પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમા એક જ આરસમાંથી બનાવેલ છે અને પંચાસરાથી અહીં એક જ ગાડામાં લાવેલ. પદ્માવતીદેવીની મૂર્તિ હાલમાં ખેતરપાળની પોળમાં શીતલનાથના જિનાલયમાં બિરાજમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org