________________
પીપળાશેરી, આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય રોડ
શ્રી પંચાસરા પાર્શ્વનાથ
પંચાસરા ગામેથી વનરાજ ચાવડાએ બંધાવેલ જિનાલયની પ્રતિમા પાટણ આણવામાં આવેલી એ પ્રતિમાની જ્યાં સ્થાપના-પ્રતિષ્ઠા થઈ તે સ્થાન પંચાસરા તરીકે પ્રસિદ્ધ બન્યું. આજે આ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થાન પીપળાશેરીમાં છે. પાટણ અને આ શેરી બન્ને આ પ્રતિમાને કારણે મહત્તા પામ્યાં છે અને ધન્ય થયાં છે. આજે એ તીર્થરૂપ બન્યું છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨ અને નં ૩)
પીપળાશેરીમાં મધ્યે એક વિશાળ કંપાઉંડ છે. તેમાં પાંચ જિનાલયોનું બાંધકામ થયું છે. એમાં સૌથી વધુ વિશાળતા ધરાવતું જિનાલય પંચાસરા પાર્શ્વનાથનું છે. તે અમદાવાદના હઠીસિંહના જિનાલય જેવી બાંધણી ધરાવતું, ઉત્કૃષ્ટ કલાકારીગરીના નમૂનારૂપ અને સામરણયુક્ત શિખરબંધી છે. આ જિનાલયને બે પ્રવેશદ્વાર છે. એક દ્વાર ગામ તરફ અને બીજું દ્વાર કેસરબાઈ પૌષધશાળાની સામે છે. ચારે બાજુ કોટ છે. કોટને કિનારે પાણીની પરબ તથા નાહવાની ઓરડી છે.
મુખ્ય પ્રવેશદ્વાર પર કમાનમાં પાર્શ્વનાથ તથા ઇન્દ્ર ઇન્દ્રાણીઓના સુંદર શિલ્પની રચના છે. બહાર બન્ને બાજુએ ભીંત પર હાથીની અંબાડીયુક્ત શિલ્પાકૃતિઓ ઉપસાવેલ છે. જિનાલયની બહારની દીવાલો પર પણ કલાત્મક શિલ્પો છે. (ટાઈટલ નં ૨)
અહીં કલાત્મક ત્રણ પ્રવેશદ્વાર છે. જિનાલયની પ્રવેશચોકીમાંથી આગળ જતાં, તુરત ભોમતીની શરૂઆત થાય છે જેમાં બન્ને બાજુ આવેલી દેરીઓ પૈકી આપણી જમણી બાજુની ત્રણ દેરીઓમાં અનુક્રમે શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય, પાર્શ્વયક્ષ તથા શીલગુણસૂરિ(જુઓ ફોટોગ્રાફ નં ૬)ની આરસમૂર્તિઓ છે. આ શ્રી હેમચંદ્રાચાર્યની મૂર્તિ (જુઓ ફોટોગ્રાફ નં ૯) પર સં. ૧૯૬૦નો લેખ છે તથા તેમની આજુબાજુ કુમારપાલ ભૂપાલ અને ઉદયનમંત્રીની ઊભી મૂર્તિઓ છે. અને ડાબી બાજુની દેરીઓમાં અનુક્રમે ક્ષેત્રપાલ, વનરાજ ચાવડા (જુઓ ફોટોગ્રાફ નં ૭), પદ્માવતીદેવી તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org