SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ પાટણનાં જિનાલયો વડીપોષાળનો પાડો રાખેલું. આ પૌષધશાળા(પોષાળ)ને વાડી પાર્શ્વનાથનું મંદિર બંધાવનાર કુંવરજી શાહે નવીન બંધાવી હોવાનું તેના લેખમાં નોંધ્યું છે. અહીં એક પ્રાચીન પુસ્તક ભંડાર પણ હતો. હાલમાં તેને નવીન બંધાવેલ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની અંદર સુરક્ષિત રાખેલ છે.” ઉપરાંત આ જ લેખમાં શ્રી બર્જેસે આર્કયોલોજીકલ સર્વે ઓફ નોર્થન ગુજરાતમાં આ જિનાલયની નોંધ વિસ્તારપૂર્વક આપેલી છે. તેનો ઉલ્લેખ કર્યો છે જે નીચે મુજબ છે : “આ એક અપૂર્વ કલાકારીગરીવાળું ભવ્ય જિનાલય હતું, જેનો મંડપ કાષ્ઠનો બનાવેલો હોઈ તેમાં શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ અદ્ભુત કલાકારીગીરી કોતરવામાં આવી હતી. આ મંદિરનાં એકબે ચિત્રો પણ આ ગ્રંથકારે આપ્યાં છે. તેના આધારે જણાય છે કે આ મંદિરને મંડપ ૧૧ ફૂટના ઘેરાવામાં બનાવેલો હોઈ તેને ૧૨ સ્તંભો હતા. આખોયે મંડપ કાષ્ઠશિલ્પનો બનાવતાં સ્તંભોમાં શાસ્ત્રીય નિયમે કુંભી, સ્તંભ અને તેના માથા ઉપર શિરાવટી, કીચકો વગેરે કોતરેલાં બતાવ્યાં હતાં. તંભોની ઊંચાઈ ૧૧ ૧/૪ ફૂટ હોઈ તેની ચારેબાજુ તોરણો પણ આરસ માફક કાષ્ઠનાં હિંદોલક, મદળ વગેરે કલાકૃતિવાળાં બનાવેલાં. તે મંડપ ઉપરનું વિતાન તો જાણે પાષાણના બીજા ઘુમટોની જ અનુકૃતિ કરવામાં આવી હોય તેમ લાગતું. કોલ કરચલાના અલંકરણોવાળા આવા વિતાનમાં શરૂઆતની અંદર કર્ણદર્દરિકા બનાવી તેના ઉપર રૂપકંઢ બનાવ્યો હતો, જેમાં તીર્થકરોનાં કેટલાંક ચરિત્રો કંડારવામાં આવ્યાં હતાં. મંડપની મધ્યમાં લટકતું ઝુમ્મર પણ કાષ્ઠનું જેને શિલ્પની પરિભાષામાં પદ્મશિલા કહે છે તે સુંદર કોતરણીવાળું કોતરી તેમાં પુષ્પો, પત્રોનાં અલંકરણો રજૂ કરવામાં આવ્યાં હતાં. કોલ, કાચલા અર્થાત્ કોલ અને હસ્તિતાલ ગજલાલુનાં અલંકરણો તેમાં ખાસ ધ્યાન દોરતાં આ મંડપમાં ૮ મોટા ઝૂલતા બ્રેકેટો ઉપર ૮ દેવાંગનાઓ વિવિધ વાદ્યો વગાડતી બનાવેલી. તેની પાસે વચ્ચે વચ્ચે આઠ દિક્પાલો તેમનાં વાહનો સહિત મૂકવામાં આવ્યાં હતાં. આ સિવાય રૂપકંઠમાં વિદ્યાધરોનાં યુગલ સ્વરૂપો પણ બતાવેલાં. ટૂંકમાં બે કોલ, બેત્રણ ગજલાલુના થરો, ઉપાઓ અને પદ્મશિલાવાળો આ કાઇનો. મંડપ તેનાં ઉક્ત વિતાનો પ્રમાણે જાણે પાષાણનો જ ન હોય તેવો ભાસ થતો હતો. આ મંડપને ચારેબાજુ ચાર ઝરૂખાવાળી બારીઓ – વિમાનો મૂકેલાં તેનું શિલ્પ પણ અંભુત, અને કલાશિલ્પના નિયમ બનાવેલું. તેમાં પત્રો, વેલીઓ, જાલીકાઓ (જાળીઓ) અને યુગલ સ્વરૂપોનાં રેખાંકનો બતાવ્યાં હતાં. મંડપની દીવાલમાં વાદ્ય વગાડતા ગંધર્વોની સુંદર હારો કોતરેલી, જેમાં તે બધા દરેક વિવિધ અંગભંગો સાથે વાદ્યો વગાડતી બતાવ્યા હતા. આ સિવાય તેમાં નૃત્ય કરતાં વિવિધ સ્ત્રી-પુરુષોના પણ અભિનયો વ્યક્ત કરવામાં આવેલા. આ નરથરની નીચે હંસથર કોતરવામાં આવેલો. તેની લાંબી હારો જોતાં, એમ જ લાગતું કે કાઇ અને પાષાણમાં સહજ ભાવે એક જ શિલ્પ સ્થાપત્ય ઉતારવામાં આવતું હતું. વિમાનોના ઝરૂખા ઉપર બારીઓ મૂકી હતી. તેના ઉપર ગજલક્ષ્મીનાં અભિનવ રેખાંકનો કોતરવામાં આવેલાં. તેની આજુબાજુ નૃત્યાંગનાઓ તથા કુમારિકાઓનાં નૃત્ય કંડારેલાં જેમાં હલ્લીસક નૃત્યની માફક, દરેકના હાથ એકબીજાની સાથે જોડાયેલા બતાવવામાં આવ્યા હતા. ટૂંકમાં આ મંડપ શિલ્પકળાના એક અભિનવ કલા-પ્રદર્શન જેવો બનાવેલો.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy