________________
૨૫૬
પાટણનાં જિનાલયો
સુધી અંધારામાં જ છે. પરંતુ ચૈત્યપરિપાટીકારે રજૂ કરેલ અનુક્રમ પ્રમાણે તે પાટણથી દક્ષિણે આવ્યું હોય તેમ સમજાય છે. થોડાંક વર્ષો ઉપર પાટણથી બે માઈલ દૂર બાદીપુર ગામે જવાનું થયું. ત્યાંના એક શિવમંદિરમાં જૈનમંદિરનાં પરિકરો, પબાસનો વગેરે સામગ્રી વપરાયેલા હોવાથી ત્યાં આજુબાજુ કોઈ પ્રાચીન જૈનમંદિર હોવું જોઈએ એવું અનુમાન થયેલું. આ ચૈત્યપરિ ાટીમાં અનુક્રમ પ્રમાણે વાડીપુર પછી દોલતપુર, કુપરગિરિ અને વાવડી આવે છે. દોલતપુર ગામ આજે મળતું નથી પણ કુપરગિરિ અર્થાત કુણઘેર અને બાદીપુર વચ્ચે તે આવેલું હશે. અને ત્યારબાદ વાવડી ગામનું નામ આવે છે જે આજે વિદ્યમાન છે. પાટણથી દક્ષિણમાં અને અણહિલપુરની નજદીકમાં આવેલ હાલનું બાંદીપુર તે જ પ્રાચીન વાડીપુર ગામ હોવાનું આગળ જણાવેલ અવશેષોના આધારે જણાય છે. વાડી ઉપરથી ઘસાતું રૂપ બાદી થાય તેમાં અયોગ્યતા જણાતી નથી. આથી જ ચૈત્યપરિપાટીકારે જણાવેલ વાડીપુરને હાલનું બાદીપુર હોવાનું સમજાય છે. ચૈત્યપરિપાટીકારે અણહિલપુરની આસપાસ વસેલ પરાંઓ જયાં અણહિલપુરની જ પ્રતિમાઓ મોટે ભાગે પધરાવી હશે તેની નોંધ લઈ તે પ્રાચીન દિવ્ય જિનબિંબોનું સ્મરણ કરાવ્યું છે. અર્થાત સંવત ૧૬૪૮માં હાલનું બાંદીપુર વાડીપુર તરીકે જાણીતું હતું, જ્યાં જૈનોની પણ સારી એવી વસતી હશે, જેથી અણહિલપુરના અસ્તિકાળે ત્યાંથી પ્રતિમાઓ લઈ જઈ ત્યાંનાં જિનાલયોમાં પધરાવી હોય તેમ માનવામાં વાંધો આવતો નથી....... આથી આ મંદિર સંવત ૧૬૫રમાં બંધાવ્યાની હકીકત મળે છે. જ્યારે સંવત ૧૬૪૮માં લલિતપ્રભસૂરિએ વાડીપુરના પાર્શ્વનાથની નોંધ પાટણ ચૈત્યપરિપાટીમાં લેતાં વાડીપુર ગામ પાટણથી થોડેક દૂર હોવાનું જણાવેલ છે. કુલ ૨૦ ઢાળમાં પાટણનાં મંદિરોની હકીકત આપ્યા પછી ૨૧મી ઢાળમાં વાડીપુરનાં જૈન મંદિરોનું વર્ણન આવે છે. તેમાં ત્યાંના પાર્શ્વનાથ માટે જણાવ્યું છે કે :
વાડીપુરવર-મંડણી એ, પ્રણમીય ૨ અમીઝરલે પાસ તુ. આસ પૂરઇ સયલતણી એ, પૂજીઈ ૨ આણી ભાવ તુ //
|| વાડીપુરવર-મંડણઉ એ ! ગૂટક | વાડી-મંડણ વામાનંદન, સલભવનઈ દીપ એ.
નમાં અમર નરિદ આવી, સયલ દુરજન જીપએ. આ હકીક્ત વાડીપુરમાં “અમીઝરા પાર્શ્વનાથથી ઓળખાતી પ્રતિમા માટે સૂચવી છે. સંવત ૧૬૪૮માં વાડીપુરમાં અમીઝરા પાર્શ્વનાથની ઓળખાતી જે પ્રતિમા બેસાડેલી હતી, તે મૂર્તિને ફક્ત ૪ વર્ષ બાદ કોઈ કારણસર પાટણમાં લાવી, શા. કુંવરજીએ બંધાવેલ આગળ જણાવ્યા પ્રમાણે ઝવેરીવાડાના મંદિરની અંદર બેસાડવામાં આવી હતી એમ માલૂમ પડે છે. વિશેષમાં આ પ્રતિમા વાડીપુરથી લાવ્યા તેથી તેનું નામ પણ “વાડી પાર્શ્વનાથ” રાખ્યું. ગમે તેમ હો પણ સમાજમાં તે વખતથી આ પ્રતિમા તથા મંદિર તે નામથી ઓળખાતું થયું.
આ મહોલ્લાનું પ્રાચીન નામ વડીપોષાળનો પાડો હોવાનું લલિતપ્રભસૂરિએ પાટણ ચૈત્યપરિપાટીમાં જણાવ્યું છે. ત્યાં એક મોટો ઉપાશ્રય હતો, જેના કારણે મહોલ્લાનું નામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org