________________
પાટણનાં જિનાલયો
૨૫૫
અતિશય-વિરાજમાન શ્રી જિનમાણિકયસૂરિ થયા.(૨૨)
તેમની પાર્ટીના અલંકારરૂપ, દુર્વારવાદીઓની વિજયલક્ષ્મીના શરણરૂપ, પૂર્વક્રિયાઉદ્ધારક, સ્થાને સ્થાને જય પ્રાપ્ત કરનાર, જેમનો ઉદય અને સન્નય પ્રતિદિન વૃદ્ધિ પામે છે એવા, ત્રિભુવનના જનોના વશીકરણમાં પ્રવણ, પ્રણવના ધ્યાન વડે પવિત્ર સૂરિમંત્ર જેમણે પ્રાપ્ત કર્યો છે એવા, વિજિતભય, સર્વ વાદીઓના ગર્વને દૂર કરનાર, પોતાના પાદવિહાર વડે અવનિતલને પવિત્ર કરનાર, સં. ૧૬૪૮માં સ્તંભતીર્થ(ખંભાત)માં ચાતુર્માસ કર્યો ત્યારે ઉદ્ભવેલા અમિત મહિમાના શ્રવણથી દર્શન માટે ઉત્કંઠિત થયેલા જલાલુદ્દીન પ્રભુ પાદશાહ શ્રીમદ્ અકબરે જેમને મિલન માટે નિમંત્રિત કર્યા હતા એવા, સ્વગુણગણ વડે પાદશાહના મનનું રંજન કરનાર, અખિલ ભૂતલનાં પ્રાણીઓનું સમાથાસન કરી તેઓને જેમણે સુખ આપ્યું છે એવા, અસાડ માસની અષ્ટાત્વિકાએ અમારિફરમાન તથા સ્તંભતીર્થના સમુદ્રમાં માછલાનું રક્ષણ કરવાનું ફરમાન કઢાવનાર, તેણે (પાદશાહ) આપેલ “યુગપ્રધાન પદ ધારણ કરનાર તથા તેના વચનથી સં. ૧૬૫રમાં માઘ સુદ બારસની શુભ તિથિએ પૂર્વના ગુરુસમૂહે નહિ કરેલું અદ્ભુત કર્મ કરનાર, પંચનદીસાધક અને પંચ પીર પાસેથી પરમ વરદાન પ્રાપ્ત કરનાર તથા આશિષ વિશેષથી સંઘોન્નતિકારક, વિજયમાન ગુરુ યુગપ્રધાન શ્રી ૧૦૮ શ્રી જિનચંદ્રસૂરિના, પોતેસ્વહસ્તે પાદશાહ સમક્ષ- આચાર્યપદે સ્થાપેલ, સપરિવાર શ્રી જિનસિંહસૂરિવરના ઉપદેશથી ઓસવાલ જ્ઞાતીય મંત્રી ભીમના વંશમાં મંત્રી ચાંપા, ભાર્યા સૂવદે, તેના પુત્ર મંત્રી મહીપતિ અને ભાર્યા અમરી, તેના પુત્ર મંત્રી વસ્તપાલ અને ભાર્યા સિરિયાદે, તેના પુત્ર મંત્રી તેજપાલ અને ભાર્યા શ્રી ભાન; તેના કુક્ષિસરોવરમાં હંસ જેવો, અર્થજનોના મનોરથ પૂરવામાં કલ્પવૃક્ષ જેવો, દેવગુરુપરમભક્ત, અને વિશેષતઃ જિનધર્મમાં અનુરક્ત હૃદયવાળો, ઉકેશવંશના અલંકારરૂપ શાહ અમરદત્ત, ભાર્યા રત્નાદે; તેના પુત્રરત્ન કુંઅરજીએ, ભાર્યા સોભાગદે, બહેન બાઈ વાડી, પુત્રી બાઈ જીવણી પ્રમુખ પરિવારને સાથે રાખીને અણહિલપુર પાટણના શૃંગારરૂપ, દેવોના મનમાં પણ રંજન કરનાર, સુરગિરિ સમાન ચતુર્મુખ વિરાજમાન વિધચૈત્ય કરાવ્યું તથા પાટકમળે – મહોલ્લામાં પૌષધશાળા કરાવી. ઇલાહી સંવત ૪૧ વર્ષે વૈશાખ વદ બારશની તિથિએ, ગુરુવારે રેવતી નક્ષત્રમાં, શુભ વેળાએ, શ્રી વાડી પાર્શ્વનાથની પ્રતિમા મહોત્સવપૂર્વક સ્થાપવામાં આવી. આ બધું દેવ – ગુરુ, ગોત્રજ દેવીના પ્રસાદથી વંદ્યમાન અને પૂજયમાન છે. તે સમસ્ત શ્રીસંઘ સહિત ઘણું જીવો કલ્યાણમતુ.
આ (લેખની) પટ્ટિકા પંઉદયસાગરગણિએ લખી છે. પં. લક્ષ્મીપ્રમોદમુનિના આદરથીસૂચનથી ગજપર ગલ્લાકે કોતરી છે. રામ ભવતુ નિત્યમ્ !”
શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવેએ અણહિલપુરના જૈન મંદિરો અને વાડીપુર પાર્શ્વનાથ નામનો લેખ પાટણ સુવર્ણ મહોત્સવ અંકમાં પ્રસિદ્ધ કર્યો હતો. તેમાં આ જિનાલય વિશે નીચે મુજબની નોંધ આપી છે :
“લલિતપ્રભસૂરિએ રચેલ પાટણ ચૈત્ય પરિપાટીમાં “વાડીપુર”ની નોંધ છે, જ્યાં અમીઝરા પાર્શ્વનાથની જાણીતી સુપ્રસિદ્ધ પ્રતિમા હતી. આ વાડીપુર ગામ કયાં આવ્યું તે હજુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org