SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ પાટણનાં જિનાલયો કરીને સં. ૧૦૮૦માં ‘ખરતર' બિરુદ પ્રાપ્ત કરનાર શ્રી જિનેશ્વરસૂરિ થયા. (૩) . તેમની પાટે શ્રી જિનચન્દ્રસૂરિ થયા. (૪) તેમની પાટે, શાસનદેવીના ઉપદેશથી કોઢના વિનાશ હેતુ સ્તંભન પાર્શ્વનાથને પ્રગટ કરનાર તથા નવાંગીવૃત્તિ આદિ અનેક શાસ્ત્ર રચીને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર શ્રી અભયદેવસૂરિ થયા. (૫) તેમની પાટે, દશ કુલકવાળા લેખથી વાગડ દેશના દસ હજાર શ્રાવકોને પ્રતિબોધ પમાડનાર સુવિદિત કઠિન ક્રિયા કરનાર અને “પિંડવિશુદ્ધિ ' આદિ પ્રકરણ રચનાર પ્રભાવક શ્રી જિનવલ્લભસૂરિ થયા. (૬) તેમની પાટે ચોસઠ જોગણી, બાવન વીર અને સિન્ધ દેશના પીરને વશ કરનાર, અંબડ શ્રાવકના હસ્તે લખાયેલ સ્વર્ણાક્ષરની વાચનાથી “યુગપ્રધાન’ પદ વડે અલંકૃત અને પંચનદીસાધક શ્રી જિનદત્તસૂરિ થયા. (૭) તેમની પાટે શ્રીમાલ, ઓસવાલ આદિ મહાજન જાતિઓના પ્રતિબોધક, નરમણિમંડિત ભાલસ્થલ શ્રી જિનચંદ્રસૂરિ થયા. (૮) તેમની પાટે, ભંડારી નેમિચંદ્ર પરીણેલા પ્રબોધોદયાદિ ગ્રન્થરૂપ છત્રીસ વાદથી વિધિ પક્ષને શોધનાર-શુદ્ધ કરનાર શ્રી જિનપતિસૂરિ થયા. (૯) તેમની પાટે, લાડોલ-વીજાપુરમાં શ્રી શાન્તિવીરવિધિચૈત્યની પ્રતિષ્ઠા કરનાર શ્રી જિનેશ્વરસૂરિ થયા. (૧૦) તેમની પાટે ચાર રાજાઓને પ્રતિબોધ પમાડી “રાજગચ્છ સંજ્ઞાશોભિત (ખરતરગચ્છને રાજગચ્છ તરીકે ઓળખાવનાર) શ્રી જિનચંદ્રસૂરિ થયા. (૧૧) . તેમની પાટે શત્રુંજયમંડન ખરતરવસતિપ્રતિષ્ઠાપક અને લાખ અતિશય-ચમત્કારોથી વિખ્યાત શ્રી જિનકુશલસૂરિ થયા. (૧૨) તેમની પાટે શ્રી જિનપદ્મસૂરિ (૧૩), તેમની પાટે શ્રી જિનલબ્ધિસૂરિ (૧૪), તેમની પાટે શ્રી જિનચન્દ્રસૂરિ (૧૫), તેમની પાટે દેવાંગનાના અવસર-નૃત્યસમારંભમાં વાસ પ્રક્ષેપ વડે જેમનો સંઘપતિ પદ આદિ ઉદય થયો હતો એવા શ્રી જિનોદયસૂરિ (૧૬), તેમની પાટે શ્રી જિનરાજસૂરિ થયા. (૧૭), તેમની પાટે સ્થળે સ્થળે ઉત્તમ જ્ઞાનભંડારો સ્થાપનાર શ્રી જિનભદ્રસૂરિ થયા. (૧૮), તેમની પાટે જિનચન્દ્રસૂરિ થયા. (૧૯), તેમની પાટે પંચ યક્ષસાધક વિશિષ્ટક્રિય શ્રી જિનસમુદ્રસૂરિ થયા. (૨૦) તેમની પાટે, તપ-ધ્યાનના વિધાનથી (પ્રભાવિત) સિકંદર પાદશાહે પાંચસો કેદીઓને મુક્ત કરી જેમનું સન્માન કર્યું હતું એવા શ્રી જિનહંસસૂરિ થયા. (૨૧) તેમની પાટે, પંચનદીસાધક અને અધિક ધ્યાનબળ વડે યવનોના ઉપદ્રવને ખંડિત કરનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy