________________
પાટણનાં જિનાલયો
૨૫૩
નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
વડી પોસાલનઈ પાટકિ .. વાડીએ પુરવરમંડણ નયણે નિરખ્યા આજ | બીજા જિનવર પંચ એ સારઈ વંછિત કાજ
//૪૧al ઉપરાંત આ ચૈિત્યપરિપાટીની ૨૧મી ઢાળમાં વાડીપુરમાં અમીઝરા પાર્શ્વનાથની પ્રતિમા તથા અન્ય એક પાર્શ્વનાથની પ્રતિમાનો ઉલ્લેખ આવે છે :
વાડીપુરવર-મંડણઉ એ, પ્રણમીય ર અમીઝરલે પાસ તુ. આસ પૂરઈ સયલતણી એ, પૂજઈ ર આણી ભાવ તુ //
|| વાડીપુરવર-મંડણ એ / તૂટક | વાડી-મંડણ વામાનંદન, સમલભવનઈ દીપ એ.
નમાં અમર નરિંદ આવી, સયલ દુરજન જીપએ. આજે ઝવેરીવાડામાં વાડી પાર્શ્વનાથનું જિનાલય આવેલું છે. આ જિનાલય સં. ૧૬૫રમાં ખરતરગચ્છના ભીમમંત્રીના વંશજ કુંવરજીએ બંધાવ્યું છે તેવું તેના શિલાલેખ પરથી જણાય છે. આ શિલાલેખ મૂળનાયકની સામે ભીંતમાં ૧૬ ૧/૨” પહોળી અને ૨૮” લાંબી આરસની તકતીમાં કોતરેલો છે.
ભોગીલાલ સાંડેસરાના પાટણમાં વાડી પાર્શ્વનાથના મંદિરનો શિલાલેખ તથા ખરતરગચ્છની પટ્ટાવલી નામના લેખમાં આ શિલાલેખનું સંપૂર્ણ ભાષાંતર આપવામાં આવ્યું છે. આ લેખ સ્વાધ્યાય સૈમાસિક પુસ્તક : ૨૩ના (સં. ૨૦૪૧-૪૨) દીપોત્સવી અંકમાં પ્રસિદ્ધ થયો
હતો.
શ્રી વાડી પાર્શ્વનાથ સંઘનું ચૈત્ય બંધાવનારનું કલ્યાણ કરો ! પાટણમાં રહેલા શ્રી વાડી પાર્શ્વનાથ લક્ષ્મી, ઉદય અને શ્રેય કરો ! ચૈત્યમાં શ્રી બૃહત્ ખરતર ગચ્છની ગુર્નાવલીના લેખનપૂર્વક પ્રશસ્તિ લખીએ છીએ.
અહિતને નમસ્કાર ! પાદશાહ શ્રી અકબરના રાજયમાં વિક્રમ સં૧૬૫૨ના માગશર સુદ નવમી અને સોમવારના દિવસે પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં શુભ મુહૂર્તમાં (ચૈત્ય બાંધવાનો) આરંભ કરવામાં આવ્યો.
(ગુર્નાવલી) શાસનાધીશ શ્રી મહાવીરસ્વામીની અધિચ્છિન્ન પરંપરાથી ચાલી આવતી પાટે શ્રી ઉદ્યોતનસૂરિ થયા. (૧)
તેમની પાટે વિમલ દંડનાયકે અર્બુદાચલ ઉપર બંધાવેલી વસતિના પ્રતિષ્ઠાપક અને સીમંધર સ્વામીએ શોધેલા સૂરિમંત્રના આરાધક શ્રી વર્ધમાનસૂરિ થયા. (૨)
તેમની પાટે અણહિલ્લપત્તનાધીશ દુર્લભરાજની સભામાં ચૈત્યવાસીઓના પક્ષનો પરાજય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org