________________
પાટણનાં જિનાલયો
ગર્ભદ્વાર ચા૨ છે. ગર્ભદ્વાર પરની કોતરણી સુંદર છે. ગભારાને પ્રદક્ષિણા કરી શકાય તેવી જગ્યા છે. અહીં ૨૫” ઊંચાઈ ધરાવતી શ્રી વાડી પાર્શ્વનાથની ચૌમુખી સપરિકર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. જિનાલયમાં પ્રવેશતાં સન્મુખ આવેલા ગર્ભદ્વારે બિરાજમાન વાડી પાર્શ્વનાથની પ્રતિમાના આરસનો રંગ ઑફ વ્હાઇટ લાગે છે. બાકીની ત્રણ પ્રતિમા સફેદ આરસની છે. પ્રથમ પ્રતિમાનું લાંછન ઘસાઈ ગયું છે. આ પ્રતિમાની જમણી બાજુની પ્રતિમાના લાંછન પાસે ‘સા. અમરદત્ત શ્રી ખરતરગચ્છે પ્રતિ શ્રી સોમચિંતામણિ – એ મુજબનું લખાણ વાંચી શકાય છે. તેની બાજુની (મુખ્ય પ્રતિમાની પાછળ બિરાજમાન) પ્રતિમા પર ‘ઈલાહી ૪૪ સં. ૧૬..' એ મુજબ વાંચી શકાય છે. આ પ્રતિમાના આગળના ભાગમાં લાંછન પાસે ‘ખરતરગચ્છે .’ વાંચી શકાય છે. બાકીના અક્ષરો ઘસાઈ ગયા છે. તથા ડાબી બાજુની પ્રતિમાના લાંછનની ઉપરના ભાગમાં ‘અમરદત્ત તિ.. ચિંતામણિ' વંચાય છે. આ પ્રતિમાના પડખાના ભાગમાં ‘અલાઇ સં ૪૪ સં ૧૬૫૩' સ્પષ્ટ વાંચી શકાય છે. ચારેય ભગવાનના સિંહાસન પાસે આરસનાં તોરણોની સુંદર કોતરણીવાળી રચના છે. તેના પર “સં ૧૯૫૧ માગશર સુદ નવમી દિન સોમવારે શ્રી ઉદ્યોતનસૂરિ તેના શિષ્યપ્રવર વિમલ દંડનાયક કારતાં’ એ મુજબના અર્થવાળું લખાણ છે, તથા થાંભલા પર નીચે મુજબનો લેખ છે :
૨૫૨
=
‘સંવત ૧૯૭૫ વૈશાખ સુદ ત્રીજ પાટણના દશા પોરવાડ શેઠ ચુનીલાલ નાનચંદ, મોતીલાલ નાનચંદે શ્રી પાર્શ્વનાથના ચારે દિશાના ચારે તોરણો કરાવ્યા.”
ગભારામાં કુલ પાંચ આરસપ્રતિમા છે જે પૈકી મૂળનાયકની કુલ ચાર પ્રતિમાનો સમાવેશ થાય છે. કુલ વીસ ધાતુપ્રતિમા છે જે પૈકી સં ૧૪૩૯નો લેખ ધરાવતી શ્રી જિનચંદ્રસૂરિની ધાતુમૂર્તિ છે. ઉપરાંત એક સ્ફટિક પ્રતિમા છે જે ધાતુના પરિકરમાં બિરાજમાન છે. અહીં આવેલા ગોખમાં આરસની બે ગુરુમૂર્તિઓ અને યક્ષ કે દેવની આરસમૂર્તિ છે.
જિનાલયના ઉપરના માળે શિખરમાં ચાર દ્વારવાળો અન્ય એક ગર્ભદ્વાર છે. તેમાં ૨૩” ઊંચાઈ ધરાવતી મૂળનાયક શ્રી આદેશ્વરની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. તેના પર સં. ૧૬૬૭નો લેખ છે. “સં. ૧૬૬૭ વર્ષે માઘ શુક્લ તૃતીયા સોમે શ્રી ઓશવાલ જ્ઞાતીય સંઘવી અમરદત્ત પુત્ર સંઘવી કુંઅરજી ભાર્યા સોભાગદે શ્રાવિકયા શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબં કારિત પ્રતિષ્ઠિત શ્રી બૃહતખરતરગચ્છાધીશ્વર શ્રી જિનમાણિક્યસૂરિ પટ્ટાલંકારક શ્રી પાતિસાહી પ્રતિબોધક યુગપ્રધાન શ્રી જિનભદ્રસૂરિ .. પ્ર શ્રી જિનસિંહસૂરિભિઃ ।'' એ મુજબનું લખાણ વંચાય છે. અહીં દસ આરસપ્રતિમા તથા પાંચ ધાતુપ્રતિમા છે. આ આરસપ્રતિમા ચૌમુખીની જેમ ફરતી ગોઠવવામાં આવી છે. અહીં અન્ય એક અજિતનાથની પ્રતિમા પર ‘શ્રી ખરતરગચ્છે શ્રી અમરદત્ત’ એ મુજબનું લખાણ વાંચી શકાય છે.
–
ગણિ
ઐતિહાસિક સંદર્ભ
આ જિનાલયનો ઉલ્લેખ સં ૧૬૪૮ની લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. આ ચૈત્યપરિપાટીમાં વાડીપુરમંડનનો ઉલ્લેખ બે વાર થયેલો છે. સૌ પ્રથમ પાંચમી ઢાળમાં વડીપોસાલના પાડાનાં જિનાલયોનું વર્ણન કરતા આ જિનાલયનો ઉલ્લેખ
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org