________________
પાટણનાં જિનાલયો
૨૪૩
ભજબલ શ્રેઠિ તણાં ઘરિ દેવી મન રીઝઈ સિષરબંધ પ્રાસાદ જિસુ કુણ ઉપમ દીજઇ ૪ આઠ બિંબ સેતુ સદા આભરણે સોહઈ . પરગર વલી રુપા તણીએ પાંચ રત્નમાં સોહઇ ૫ જવહરી રુપા તણાં ઘરિ સુવધિ સુજાણ બિંબ પાંચ તિહાં જાણીતું ચિત્રામિ મંડાણ સેઠ ઠાકરસા તણાં ભવનિ તિહાં વેગિ આવી
આઠ પ્રતિમાસું ઋષભદેવ મન સિદ્ધિ ભાવી ૭ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં વડી પોસાળનો પાડો વિસ્તારમાં વાડીપુરમંડન પાર્શ્વનાથ તથા આદેશ્વર એમ બે જિનાલયો તથા ત્રણ ઘરદેરાસરો વિદ્યમાન હતાં. ૧. શ્રેયાંસનાથ. (ભુજબલ સેઠના ઘરે), ૨. આદેશ્વર (સેઠ સોમાના ઘરે) અને ૩. પાર્શ્વનાથ (સહસા પારેખના ઘરે).
વિશ્વસેન-નંદન નિરશીઆ પરષીઆ નવાણ૩ દેવ, મંડપ રચના ચીકીએ હઈડું હરિષ્ય એ હેવ. વડી પોસાલનઈ પાટકિ સેઠિ સોમાનાં ગેહ, ઋષભાદિક જિન ચઉલ્ટીસ દીપઇ સુંદર દેહ //૪Tી. ભુજબલ સેઠિ દેહરાસરિ બિંબ શ્રેયાંસસ્વામી, પંચઇ પડિમા રયણમાં ત્રણિ અવર જિન પામી. વાડીએ પુરવરમંડણ નયણે નિરખ્યા આજ, બીજા જિનવર પંચ એ સારઈ વંછિત કાજ //૪૧// સહસા પારષિ ઘરિ નમઉં પાસ જિણેસર ભાવિ, તેર પ્રતિમા અવર અછાં ઋષભનઈ દેહરઈ એ આવિ. તેર જિણંદ તિહાં નિરપીઆ હરષીઆ માનવ મન્ન,
ભાવશું પૂજા જે રચઇ તેહના જનમ એ ધન્ન ll૪રા સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં વાડી પાર્શ્વનાથ (ચૌમુખી), આદેશ્વર (પંચબંધવનું દેહ) તથા નારંગા પાર્શ્વનાથ – એમ કુલ ત્રણ જિનાલયો તથા સેઠ ભુજબલનું ઘરદેરાસર વિદ્યમાન હતું. ચૈત્યપરિપાટીમાં ઘરદેરાસરના મૂળનાયકનું નામ દર્શાવ્યું નથી પરંતુ સં. ૧૬૪૮માં આ ઘરદેરાસરના મૂળનાયક શ્રેયાંસનાથ હતા.
વાડીપાસ તણો, મહિમા છે અતિ ઘણો રે, કે મહિમા વડી પોસાલના પાડા, માંહી શ્રવણે સુણો રે, માંહિ શ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org