________________
૨૪૨
પાટણનાં જિનાલયો
વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
ત્રાંગડીઈ પાડે એક દેહરો, સાને પાડે દોય. સં. ૬ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ આદેશ્વર તથા શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
શાવાડે પ્રણમામિ ભક્તિભરતો રક્ત ચ મુક્તિ સ્ત્રિયાં, શ્રીનાભેય મમેયકીતિકલિત સંસારસંતારકમ્ | મારીયેન નિવારિતા જિનપતિ તે નૌમિ મુક્યા પતિ,
શ્રી શાંતિ જગતાં જનોપકરણપ્રાવીણ્યબદ્ધસ્પૃહમ્ /૧૩ સં. ૧૯૬૭માં સાનો પાડો વિસ્તારમાં આદેશ્વર અને શાંતિનાથનું સંયુક્ત જિનાલય દર્શાવવામાં આવ્યું છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં શાહના પાડામાં આદેશ્વરના આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં ઓગણીસ આરસપ્રતિમા અને નવ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. વહીવટ શેઠ ધરમચંદ અભેચંદની પેઢી હસ્તક હતો. ઉપરાંત તે સમયે ત્રણ ગુરુમૂર્તિઓ વિદ્યમાન હોવાનો પણ ઉલ્લેખ છે.
આજે આદેશ્વરના જિનાલયમાં આઠ આરસપ્રતિમા અને પહેલે માળ શાંતિનાથના જિનાલયમાં બાર આરસપ્રતિમા બિરાજમાન છે. વહીવટ શેઠ ધરમચંદ અભેચંદની પેઢી દ્વારા થાય છે. આરસની ત્રણ ગુરુમૂર્તિઓ આજે પણ વિદ્યમાન છે. તે પૈકીની એક પ્રતિમા તેરમા સૈકાની જણાય છે. જિનાલયનો જીર્ણોદ્ધાર સં. ૨૦૩૪માં થયેલો છે.
ટૂંકમાં આદેશ્વરનું આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે. જયારે ઉપરના માળે બિરાજમાન શાંતિનાથનો સમય સં૧૭૭૭ પૂર્વેનો નક્કી કરી શકાય.
ઝવેરીવાડો
ઝવેરીવાડનો વિસ્તાર અગાઉ પોસાળનો પાડો તથા વડીપોસાળનો પાડો એ નામથી પ્રચલિત હતો.
પોસાળાના પાડામાં સં. ૧૬ ૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આદેશ્વરનું એક જિનાલય તથા ત્રણ ઘરદેરાસરો–ભજનલ શ્રેષ્ઠિનું ઘરદેરાસર, સુવિધિનાથ (ઝવેરી રૂપાના ઘરે), આદેશ્વર (શેઠ ઠાકરશાના ઘરે) એમ કુલ ચાર જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે.
પોસાળના પાડા માહિ દેહરમેં રિસહસર, તિમાં પ્રતિમા પાત્રીસ છઈ પૂજી ચંદન કેસર ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org