________________
પાટણનાં જિનાલયો
૨૩૯
ઐતિહાસિક સંદર્ભ શામળા પાર્શ્વનાથના આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર થયેલો જોવા મળે છે. ત્યારબાદ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ થયેલો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં સોળ આરસપ્રતિમા તથા સોળ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં સોળ આરસપ્રતિમા તથા ચુખ્ખાળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત સ્ફટિકની એક પ્રતિમા તથા સં૧૨૫૦ની સાલનો આરસનો માતૃકાપટ પણ હતો. વહીવટ શેઠ ધરમચંદ અભેચંદની પેઢી હસ્તક હતો.
આજે જિનાલયમાં બાર આરસપ્રતિમા તથા સાડત્રીસ ધાતુપ્રતિમા બિરાજમાન છે. આરસના પગલાંની બે જોડ છે. જિનાલયની પુનઃ પ્રતિષ્ઠા સં૨૦૫૧માં માઘ સુદ તેરશને દિવસે થયેલી છે. જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી મહેશભાઈ રમણિકલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં૧૬૪૮ પૂર્વેનું છે.
શાહપાડો આદેશ્વર (સં. ૧૬૧૩ પૂર્વે) શાંતિનાથ (સં. ૧૭૭૭ પૂર્વે)
શાહના પાડામાં સીધા સીધા જતાં મકાનોની પાસે દ્વારપાલના ચિત્રકામવાળી જિનાલયની દીવાલ નજરે પડે છે. અહીં ખૂણામાં એક મુખ્ય પ્રવેશદ્વારયુક્ત બે માળવાળું શ્રી આદેશ્વરનું આરસ તથા પથ્થરનું બનેલું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
આ જિનાલયની રચના ઘરના પ્રકારની છે. પ્રથમ ઓટલો છે. ત્યાં પ્રવેશતાં ડાબી બાજુ એક ઓરડી છે. તેમાં કોઈ પ્રતિમા કે અન્ય કશું ન હતું. અહીં ઓટલાની દીવાલ પર આરસમાં લેખ કોતરેલ છે જેમાં નીચે મુજબની વિગતો દર્શાવેલ છે :
પરમ પૂજય મુનિ મહારાજ શ્રી દેવવિમલજીના સદુપદેશથી પાટણના આરાધક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org