________________
પાટણનાં જિનાલયો
આસ પુરે ગૌતમ સ્વામી, લબ્ધિનો ભંડાર એ
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ફરી એક વાર શાંતિનાથ તથા ગૌતમસ્વામીનો ઉલ્લેખ મળે છે :
ભેંસાતવાર્ડે શાંતિજી, પાસિં ગૌતમસ્વામી. લ ૧૨ પા
સં ૧૮૨૧માં ઉપા. જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં કવિ ભેંસાતવાડાને બદલે ગૌતમપાડાનો ઉલ્લેખ કરી ત્યાં એક જિનાલય જુહાર્યાની નોંધ કરે છે :
એક ગૌતમપાડે તથા, દોય સાવાર્ડે જોય;
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ભેંસાતવાડામાં શાંતિનાથ, ચંદ્રપ્રભુ તથા ગૌતમસ્વામીનો ઉલ્લેખ થયેલો છે :
૨૩૩
વંદે શાંતિ જિનપતિમથો શસ્ત ભેંસાતવાડે,
ભક્ત્યા યુક્તઃ કવિશિશુરહં શાંતિનાથં સનાથમ્ । નાથેન શ્રીવરગણભૃતાં ચાત્ર ચંદ્રપ્રભેણ, પ્રાસાદે હૈ સુરનરગણૈઃ સેવિતં ગૌતમીયે
119811
સં. ૧૯૬૭માં ભેંસાતવાડામાં શાંતિનાથ, ચંદ્રપ્રભુ અને ગૌતમસ્વામીનો ઉલ્લેખ થયો છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ભેંસાતવાડામાં શાંતિનાથના જિનાલયને ધાબાબંધી
દર્શાવ્યું છે. ત્યારે બાર આરસપ્રતિમા અને પંદર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત પાર્શ્વનાથની એક પ્રાચીન ધાતુમૂર્તિનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ બાપાલાલ રતનચંદ હસ્તક હતો.
આજે આ જિનાલયમાં શાંતિનાથના ગભારામાં નવ આરસપ્રતિમા બિરાજમાન છે. ઉપરના માળે બિરાજમાન ચંદ્રપ્રભુના ગભારામાં ત્રણ આરસપ્રતિમા બિરાજમાન છે. જિનાલયમાં કુલ સોળ ધાતુપ્રતિમા છે. જિનાલયનો વહીવટ મુંબઈનિવાસી શ્રી ભગવાનભાઈ રમણલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં શાંતિનાથનું આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે. તથા ઉપરના માળે બિરાજમાન મૂળનાયક ચંદ્રપ્રભુનો ઉલ્લેખ સં. ૧૯૫૯માં પ્રાપ્ત થાય છે. તેથી તેનો સમય સં. ૧૯૫૯ પૂર્વેનો કહી શકાય.
શાહવાડો
શાહવાડો વિસ્તાર સાહવાડો, સહાવાડો, સાવાડો, સાહાવાડો, શાવાડો એમ વિવિધ નામથી પ્રચલિત બન્યો છે. આ વિસ્તારમાં લગભગ તમામ ઘર જૈનોના હોવાથી તેનું નામ
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org