SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પાટણનાં જિનાલયો શાહવાડો પડ્યું હતું. કાળનું ચક્ર ન્યારું છે ! આજે અહીં એક પણ ઘર જૈનનું નથી ! આ વિસ્તારમાં સં૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય વિદ્યમાન હતું : સાહવાડઈ મુનિસુવ્રત એ, વીસમી પૂરઇ આસ તે, અગિંહિ ધરી મહાવ્રત એ, જિણિ કી સિદ્ધિ હિ વાસ ત. સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં સુપાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું : સાપાવાડા ભણી સાચરયા, અતિ આણંદ આણી બાવન બિંબસ્ શ્રી સુપાસ વંદુ ભવિ પ્રાણી ૧૫ ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સુપાર્શ્વનાથે તથા પાર્શ્વનાથનાં – એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો હતો : સહાવાડઇ વિઇ આવીઈ ભાવીઇ દેવ સુપાસ ! ' પંચ્યાસી પડિમા નમી આવીઇ દેહરઈ પાસ / સપ્તફણામણિશોભિત ઓપિત દેહ ઉદાર / છસઈ બારોત્તર ભેટીઇ ભેટીઇ પાપ અઢાર //૪તા. સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સુપાર્શ્વનાથ તથા શામળા પાર્શ્વનાથનાં જિનાલયોનો ઉલ્લેખ મળે છે : સાવાડે રે સાંમલ પાસ સોહામણા બિંબ પાંચસે રે પાસે શ્રી જિનવર તણા ' ના. જિનવર તણા તે બિંબ જાણું, ઉપર સત્તાવન એ. ત્રેવીસમો જિનરાજ વંદું, મોહિઓ મુજ મન્ન રે. સાતમો જિન પ્રાસાદ બીજે, વંદીએ ઊલટ ધરી. ચાલીસ ઉપરે સાત અધિકી સોહે તિહાં પ્રતિમા ભલી // રાઈ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કવિ સુપાર્શ્વનાથ તથા શામળા પાર્શ્વનાથના જિનાલયનાં દર્શન કરે છે : સાહાવાડે જિનમંદિરે, ભેટીયા સાંમલપાસ. લ. પ્રાસાદ સાતમા જિન તણો, ભેટીયા સ્વામી સુપાસ, લ. ૧૧ પા. સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં આ વિસ્તારમાં બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે : એક ગૌતમપાડે તથા, દોય સાવાડે જોય; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy