________________
૨૩૪
પાટણનાં જિનાલયો
શાહવાડો પડ્યું હતું. કાળનું ચક્ર ન્યારું છે ! આજે અહીં એક પણ ઘર જૈનનું નથી !
આ વિસ્તારમાં સં૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મુનિસુવ્રતસ્વામીનું જિનાલય વિદ્યમાન હતું :
સાહવાડઈ મુનિસુવ્રત એ, વીસમી પૂરઇ આસ તે,
અગિંહિ ધરી મહાવ્રત એ, જિણિ કી સિદ્ધિ હિ વાસ ત. સં. ૧૯૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારમાં સુપાર્શ્વનાથનું જિનાલય વિદ્યમાન હતું :
સાપાવાડા ભણી સાચરયા, અતિ આણંદ આણી
બાવન બિંબસ્ શ્રી સુપાસ વંદુ ભવિ પ્રાણી ૧૫ ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સુપાર્શ્વનાથે તથા પાર્શ્વનાથનાં – એમ બે જિનાલયોનો ઉલ્લેખ થયેલો હતો :
સહાવાડઇ વિઇ આવીઈ ભાવીઇ દેવ સુપાસ ! ' પંચ્યાસી પડિમા નમી આવીઇ દેહરઈ પાસ / સપ્તફણામણિશોભિત ઓપિત દેહ ઉદાર /
છસઈ બારોત્તર ભેટીઇ ભેટીઇ પાપ અઢાર //૪તા. સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સુપાર્શ્વનાથ તથા શામળા પાર્શ્વનાથનાં જિનાલયોનો ઉલ્લેખ મળે છે :
સાવાડે રે સાંમલ પાસ સોહામણા બિંબ પાંચસે રે પાસે શ્રી જિનવર તણા ' ના. જિનવર તણા તે બિંબ જાણું, ઉપર સત્તાવન એ. ત્રેવીસમો જિનરાજ વંદું, મોહિઓ મુજ મન્ન રે. સાતમો જિન પ્રાસાદ બીજે, વંદીએ ઊલટ ધરી.
ચાલીસ ઉપરે સાત અધિકી સોહે તિહાં પ્રતિમા ભલી // રાઈ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કવિ સુપાર્શ્વનાથ તથા શામળા પાર્શ્વનાથના જિનાલયનાં દર્શન કરે છે :
સાહાવાડે જિનમંદિરે, ભેટીયા સાંમલપાસ. લ.
પ્રાસાદ સાતમા જિન તણો, ભેટીયા સ્વામી સુપાસ, લ. ૧૧ પા. સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં આ વિસ્તારમાં બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે :
એક ગૌતમપાડે તથા, દોય સાવાડે જોય;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org