________________
પાટણનાં જિનાલયો
૨૩૧
વિક્ટોરિયાના શિલ્પો છે. ડાબી બાજુ નાના પ્રવેશદ્વારની દીવાલે કોઈ દેશી રાજાનું શિલ્પ ઉપસાવેલ છે.
અહીંથી ધાબા પર નજર ગયા વિના રહેતી નથી. ધાબાની દીવાલ તથા ગભારા અને રંગમંડપની ઉપરના ધાબાના ભાગે રંગીન, સુંદર કોતરણી છે જેમાં આકર્ષક પરીઓ તથા તાપસની રચના છે. અહીંનો કેટલોક ભાગ ખંડિત થયેલ છે. ધાબા પર બે સુંદર નાના ઝરૂખા અને તેમાં તાપસ અને સિંહની રચના પર દર્શનાર્થીનું ધ્યાન કેન્દ્રિત બને છે. મૂળનાયકના ગભારાની ઉપર જ ધાબા પર બીજો ગભારો છે. તેની ઉપર ત્રણ ઘુમ્મટ છે અને ત્રણે ઘુમ્મટ પર ધજા છે જે દર વર્ષગાંઠે બદલાય છે.
- જિનાલયનું આમ વિહંગાવલોકન કરીને પ્રવેશદ્વારે પહોંચીએ ત્યારે ત્યાં પણ સુંદર કાષ્ઠકોતરણીયુક્ત બારસાખ, તોરણો સમેત કોતરણીયુક્ત સ્થંભો અને તેના પરના ઈન્દ્ર-ઇન્દ્રાણી તથા શિખર, મયૂર અને સિંહનાં શિલ્પો નજરે પડે છે. પ્રવેશદ્વારની બન્ને બાજુની જાળીવાળી બે બારીઓ પર કપિ(વાંદરા)નાં ઉપસાવેલ શિલ્પો તથા બારી તથા થાંભલાની વચ્ચે કોતરણીવાળા ગોખમાં નાની દેવીનું શિલ્પ છે જેના હાથમાં દીવો મૂકી શકાય તેવી રચના છે.
જિનાલયમાં પ્રવેશીએ એટલે રંગીન કોતરણીયુક્ત સ્થંભો અને છતમાંનાં ફળફૂલોનાં રંગીન ચિત્રો તથા રંગમંડપની દીવાલો પર ઉપસાવેલ અને રંગકામ કરેલ અનેક પટો જેવા કેગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, આબુ, અચલગઢ, શંખેશ્વર, કેસરિયાજી, શત્રુંજય તથા અનેકવિધ પ્રસંગ ચિત્રો જેવા કે – નેમિનાથ ભગવાનની જાન, પાવાપુરીની મહાવીરસ્વામીની અંતિમ દેશના, મેઘરથ રાજાની જીવદયા તથી નવપદજી મહાયંત્ર વગેરે પર આછી નજર પડતાં જ દષ્ટિ ગભારા સન્મુખ જાય.
અહીં ગર્ભદ્વાર એક જ છે અને એની બારસાખે કાષ્ઠની રંગીન કોતરણી છે જેમાં ચૌદ સ્વપ્નો ઉપસાવેલ છે. ગર્ભદ્વારની આજુબાજુની બે બારીઓની નીચેના ભાગે ડાબી બાજુ ગૌતમ સ્વામી ઇંદ્રભૂતિ હતા ત્યારે પોતાના શિષ્યો સાથે મહાવીર સ્વામીની દેશના સાંભળવા આવે છે અને પોતાના પ્રશ્નોનું સમાધાન થતાં નમી પડે છે તે અને ડાબી બાજુ ગૌતમસ્વામી સાથે દીક્ષા પામેલા અગિયાર ગણધરોનો પટ છે.
ગભારામાં ૨૧” ઊંચાઈ ધરાવતી મૂળનાયક શાંતિનાથની પ્રતિમા બિરાજમાન છે. અહીં આરસપ્રતિમા કુલ નવ છે. ડાબે ગભારે શ્રી મહાવીરસ્વામી તથા જમણે ગભારે શ્રી નેમિનાથ બિરાજે છે. ડાબી બાજુ વાસુપૂજ્યસ્વામીની શ્યામ આરસપ્રતિમા તરત ધ્યાન ખેંચે છે.
મૂળનાયક નીચેના ભાગમાં જાણે કે બીજા મૂળનાયક હોય તેવી શ્રી ગૌતમસ્વામીની આરસની મૂર્તિ છે. આ જિનાલયને શાંતિનાથના જિનાલય કરતાં લોકો ગૌતમસ્વામીના જિનાલય તરીકે વિશેષ ઓળખે છે. ગૌતમસ્વામીની આ પ્રતિમા પર સં. ૧૪૩૩ સ્પષ્ટ વાંચી શકાય છે. આ લેખ નીચે પ્રમાણે છે :
સંવત ૧૪૩૩ વર્ષે આષાઢસુદિ ૧૦ બુધે શ્રીનાણકીયગચ્છ શ્રી સિદ્ધસેનસૂરિગુરોમૂર્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org