________________
૨૩૦
પાટણનાં જિનાલયો
ત્રભેડા વાડામાંહી, શાન્તિ નમું છાંહી ! પંચસત જીનવરુએ, એકોત્રરે ઉપરે એ
/૩ી. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં તરભાણવાડામાં શાંતિનાથના જિનાલનો ઉલ્લેખ મળે છે :
તરભાણુંવાડે ભલો, પ્રાસાદ એક વિસાલ, લ.
સોલસમા જિન શાંતિજી, ભેટીયા દેવ દયાલા લા ૧૩ પાટ સં. ૧૯૫૯માં ૫૦ હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં તરભેડાવાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે :
શ્રી શાંતિનાથં નરનાથસેબં, સનાથતાં પ્રાણિગણે ભજતમ્ |
સ્થિત ચ વંદે તરભેડવાડે, સંસારરોગવ્યથર્નકવૈદ્યમ્ ૧થી સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તરભોડાપાડામાં શાંતિનાથના જિનાલયને શિખરવિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં કુલ પાંત્રીસ આરસપ્રતિમા તથા પચીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત પગલાંની આઠ જોડનો પણ ઉલ્લેખ થયેલો છે. જિનાલયની સ્થિતિ તે સમયે સાધારણ દર્શાવવામાં આવી હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં તરભેડાપાડામાં શાંતિનાથના ધાબાબંધી જિનાલયનો ઉલ્લેખ થયો છે. તે સમયે જિનાલયમાં અગિયાર આરસપ્રતિમા તથા સત્તર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત એક ગુરુમૂર્તિ તથા સં. ૧૩૩૦નો લેખ ધરાવતી શ્રાવકશ્રાવિકાની ઊભી મૂર્તિ વિદ્યમાન હોવાની વિશેષ નોંધ કરવામાં આવી છે. જિનાલયની સ્થિતિ તે સમયે સારી હતી. અને વહીવટ શેઠ ધરમચંદ ઉદેચંદની પેઢી હસ્તક હતો.
આજે જિનાલયનો વહીવટ શેઠ ધરમચંદ અભેચંદની પેઢી હસ્તક છે. ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેના સમયનું છે.
ભેંસાતવાડો શાંતિનાથ (સં. ૧૬૧૩ પૂર્વે)
ભેંસાતવાડામાં પ્રવેશતાં સામે જ નજરે પડતું પણ છેક અંદરના ભાગે આવેલું શ્રી શાંતિનાથનું આરસપહાણ અને પથ્થરનું બનેલું, બે માળનું, બહારથી જોતાંની સાથે મોહ પમાડે તેવું જિનાલય આવેલું છે.
| જિનાલયના પગથિયાંની આજુબાજુ ખંડિત થયેલા દ્વારપાળ છે તથા પગથિયાં ચડતાં શ્રેષ્ઠી અને તેની આજુબાજુ સિંહોનાં શિલ્પો નજરે ચડે છે. અહીં એલેક્ઝાન્ડર તથા રાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org