________________
પાટણનાં જિનાલયો
૨૨૯
પૈકી એક શ્રાવિકાની મૂર્તિ, એક યક્ષની મૂર્તિ છે. અહીં ખંડિત તીર્થંકરોની ત્રણ મૂર્તિઓ છે જે પૈકી બે કાઉસ્સગ્ગિયા છે. આ ભાગમાં સફાઈનો અભાવ નજરે ચડ્યા વિના રહેતો નથી.
રંગમંડપ મધ્યમ કક્ષાનો છે. અહીં કુલ પાંચ ગોખ છે. તે પૈકી જમણી બાજુ ગોખમાં ભૈરવજીની મૂર્તિ છે. બાકીના ગોખ ખાલી છે.
ગભારામાં ૨૫” ઊંચાઈ ધરાવતી શ્રી શાંતિનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજે છે. મૂળનાયકનું લાંછન ઘસાઈ ગયું છે. અહીં કુલ અગિયાર આરસપ્રતિમા તથા નવ ધાતુપ્રતિમા છે. ઉપરાંત આરસનો એક ચોવીશીપટ છે. જમણે ગભારે શાંતિનાથ તથા ડાબે ગભારે મહાવીરસ્વામી છે. તે પૈકી શાંતિનાથની પ્રતિમા પર સં ૧૫૦૫નો લેખ છે.
ઐતિહાસિક સંદર્ભ
તરભોડાપાડા તરીકે પ્રચલિત આ વિસ્તાર પૂર્વે ત્રબઇડાપાડો, ત્રંબડાપાડો, ત્રભેડાવાડો, તરભાણવાડો, તરભેડાવાડો, તરભોડાપાડો તરીકે ઓળખાતો હતો.
તરભોડાપાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ સં ૧૬૧૩માં સંઘરાજચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ત્રબઇડાપાડ઼ામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
ત્રબઇડાપાડા માહિઇ તિહાં પરતર દેહરું,
મંડપ ચુક વિશાલ થંભ જોતા નહી અનેરુ ૧૦૦
સોલમુ શ્રી શાંતિદેવ મૂલનાયક નામ,
જિહાં પ્રતિમા એકવીસ કહી વંદી પુષુત્તા જામ ૧
તે સમયે શાંતિનાથના આ જિનાલયને ખરતરગચ્છનું જિનાલય તરીકે ઓળખાવ્યું છે. ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ત્રંબડાવાડા વિસ્તારમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
Jain Education International
ખેજડાનઇ પાટક સારંગ દેહરાસર તેહ । નવ પ્રતિમા નમી કરી ત્રંબડાવાડઉ જેહ
વિશ્વસેન-નંદન નિરપીઆ પરષીઆ નવાણઉં દેવ । મંડપ રચના ચકીઅ હઈડું હરિખું એ હેવ । વડી પોસાલનઇ પાટિક સેઠ સોમાનઇ ગેહ | ઋષભાદિક જિન ચઉત્રીસ દીપઇ સુંદર દેહ
॥૪॥
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ત્રભેડાવાડામાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
||૩૯થી
For Personal & Private Use Only
www.jainelibrary.org