________________
પાટણનાં જિનાલયો
૨૨૭
જિનાલય બહારથી મનમોહક ભાસે છે. જિનાલયનો ચોક મોટો છે. જિનાલયના બહારના ભાગમાં રંગીન સુંદર શિલ્પાકૃતિઓ છે. જિનાલયના બહારના થાંભલાઓ પર પણ નર-નારીઓ તથા પૂતળીઓની પથ્થરની રંગીન કોતરણી જિનાલયની કલાકારીગરીને નવો ઓપ આપે છે. જિનાલયના ચોકમાં હાથીની અંબાડી પર બેઠેલા શ્રાવકની બે મૂર્તિઓ છે. થાંભલાની કમાનો પર મોરલા તથા બીજી નાની મોટી કોતરણી છે. બહારના બીજા થાંભલાઓ પર વાજિંત્ર વગાડતી નારીઓ તથા બાલિકાઓની શિલ્પાકૃતિઓ છે. ઉપરની છત પર પણ નર-નારીઓના અલગ અલગ મુદ્રામાં સુંદર શિલ્પો જિનાલયની સુંદરતાને ચાર ચાંદ લગાડી દે છે. ફરસ પર પણ આરસને એવી રીતે જોડવામાં આવ્યા છે કે એમાંથી સુંદર કલાકૃતિ નિર્માતી લાગે ! જિનાલયમાં બહારના ભાગમાં એક ગોખ છે જેમાં શ્રી નાકોડા ભૈરવનો ફોટો મૂકેલો છે. ગોખની ઉપર છત્રની રચનામાં રંગીન કોતરણી જોવા મળે છે. ત્રણ પ્રવેશદ્વારયુક્ત આ જિનાલયમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વારની આજુબાજુ બે મોટા દ્વારપાલની રચના છે. તેની આજુબાજુના પ્રવેશદ્વારની બારસાખ તથા કમાનો પર નર્તકીઓનાં શિલ્પો છે.
રંગમંડપનો ઘુમ્મટ ઘણો મોટો છે. તેમાં માત્ર રંગીન પટ્ટાવાળું રંગકામ છે. કમાનોની કારીગરી મનમોહક છે. થાંભલા પર વાજિંત્ર વગાડતી પૂતળીઓ છે. તેઓનો પહેરવેશ નવી ફેશનનો છે. દીવાલો પર નૃત્યાંગનાઓ તથા નારીઓનાં કલાત્મક શિલ્પો છે. રંગમંડપમાં દીવાલ પર શત્રુંજયનો ચિત્રિત પટ છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા થઈ શકે તેવી રચના છે. ગર્ભદ્વારની કમાનો, બારસાખ તથા રંગમંડપમાં આજુબાજુના ગોખમાં બિરાજેલ ગૌમુખયક્ષ તથા ચક્રેશ્વરીદેવીના છત્રની ઉપર પણ ધ્યાનાકર્ષક કોતરણી છે. આમ તો આ જિનાલય સામાન્ય જિનાલય જેવું છે છતાં પણ અહીં શિલ્પો તથા રંગકામને કારણે જિનાલયની સાદગીપૂર્ણ સુંદરતામાં વધારો થાય છે.'
ગભારામાં શ્રી ઋષભદેવ ભગવાનની ૧૩” ઊંચાઈ ધરાવતી કાળા આરસની નયનરમ્ય પ્રતિમા બિરાજમાન છે. અહીં ભગવાનના પરિકરને લેપ કરેલ છે. તેમના પબાસનની નીચે શાશ્વતાદેવી તથા તેમની આજુબાજુ ચામર ઢાળતી સ્ત્રીઓની મૂર્તિ છે. ગભારામાં પાંચ આરસપ્રતિમા તથા અગિયાર ધાતુપ્રતિમા છે. ગર્ભદ્વારની ઉપર “શ્રી રીખવદેવ પ્રતિષ્ઠા સં. ૧૯૪૭ વૈશાખ સુદ ૧૦” લખેલું છે.
ઐતિહાસિક સંદર્ભ આજે ખીજડાનો પાડો તરીકે પ્રસિદ્ધ આ વિસ્તાર અગાઉ ખેજડાનો પાડો તરીકે ઓળખાતો હતો. - સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈિત્યપરિપાટીમાં એક ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે :
પેજડાનાં પાટક સારંગ દેહરાસર તેહ | નવ પ્રતિમા નમી કરી નંબડાવાડ જેહ ૩૯ો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org