________________
૨૨૬
પાટણનાં જિનાલયો પ્રતિમાના રાતા રંગ સાથે આ રાતા રંગની પાળીનું સંયોજન અતિ સોહે છે.
ઐતિહાસિક સંદર્ભ કપૂર મહેતાનો પાડો કુંભારિયાપાડો અને તંબોલીવાડાની નજીક આવેલો વિસ્તાર છે. સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં મહેતાપાડા, તંબોલીપાડો તથા કુંભારીપાડા એ ત્રણેય વિસ્તારમાં એકેક જિનાલય વિદ્યમાન હોવાની નોંધ આવે છે.
મહેતા તંબોલી કુભારને, પાડે ઈક મન આણિ. સં. ૭ ઉપર્યુક્ત પંક્તિ પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયનો મહેતાપાડો એ જ આજનો કપૂરમહેતાનો પાડો.
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં પણ કપૂર મહેતાના પાડામાં આદેશ્વરના જિનાલયનો ઉલ્લેખ મળે છે :
કપૂરમતાભિધશસ્યપાડે, તુવે જિનેશ વૃષભધ્વજં ચ |
કર્માગ્નિદાહકજલાભિષેક, કષાયવૃક્ષેષ દવાગ્નિતુલ્યમ્ //૧ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં પાંચ આરસપ્રતિમા તથા આઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત, તે સમયે કપૂરમહેતાના પાડામાં શા. મૂલચંદ લલ્લુભાઈના બે ઘરદેરાસરો વિદ્યમાન હતા. તે પૈકી એક ઘરદેરાસરમાં એક આરસપ્રતિમા અને નવ ધાતુપ્રતિમા બિરાજમાન હતી તથા બીજા ઘરદેરાસરમાં સોળ ધાતુપ્રતિમા બિરાજમાન હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આદેશ્વરના આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં છ આરસપ્રતિમા અને આઠ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શા. મૂળચંદ લહેરચંદ હસ્તક હતો.
આજે આ જિનાલયનો વહીવટ શાહ લાભચંદભાઈ મૂળચંદ હસ્તક છે. તેઓ મુંબઈમાં રહે છે.
અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં૧૮૨૧ પૂર્વેનું છે.
ખીજડાનો પાડો
આદેશ્વર (સં. ૧૯૪૭-૪૮). ખીજડાના પાડામાં છેક ખૂણામાં શ્રી રીખવદેવમહારાજશ્રાસાદ નામે ઓળખાતું આ છેલ્લી સદીમાં બનેલું, બે માળનું જિનાલય આવેલું છે. આ દેરાસરમાં પ્રવેશવા માટેના મુખ્ય પ્રવેશદ્વાર પાસે શ્રી ગણપતિદાદાનું મંદિર આવેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org