________________
૨૧૬
પાટણનાં જિનાલયો
જિનાલયનો ઉલ્લેખ મળે છે :
કુંભારિયા પાડા માંહિ, આદિ જિનેસ્વર દેવ. લ. મહતાની પોલિ શાંતિજી, જસ કરે સુરનર સેવ. સં. ૧૬ પાડ મણીયાટી પાડા માંહિ ભેટીયા વીર નિણંદ, લ.
પ્રાસાદ બીજે નીરણીયે, આદિનાથ મુખચંદ, લ૦ ૧૭ પાત્ર સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં માંકા મહેતાનો પાડો વિસ્તારમાં શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ આવે છે. આ વિસ્તાર મણિયાતી પાડાના વિસ્તારની નજીક જ દર્શાવ્યો છે. ડંકમહેતાનો પાડો આજે પણ મણિયાતી પાડાની નજીક આવેલો વિસ્તાર છે. એટલે કે માંકા મહેતાનો પાડો એ વિસ્તાર જ ડંકમહેતાનો પાડાથી જાણીતો બન્યો હશે.
મણિહટ્ટનાં દેહરાં રે, વીરજિન મહિમા મેર છે. પ્રતિમા પંચ તે જાણવું રે, દેવદત્ત ચૈત્ય વખાણઉં ૩૩ી તેર જિણેસર ભાવી રે, માંકા મહિતાનઈ પાટકિ આવી.
મૃગલંછન જિન રંગઇ રે, અવર વીસ જિન ચંગઇ ૩૪ll ત્યારબાદ સં. ૧૭૨લ્માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ માંકા મહેતાનો પાડો તથા તેમાં વિદ્યમાન જિનાલયનો ઉલ્લેખ મણિયાતીપાડાનાં જિનાલયોના ઉલ્લેખ સાથે થયેલો છે :
સોલ પ્રતિમા સુખકંદ, શાન્તિનાથ જિણંદ. માંકા મહિતા તણે એ, પાડે સોહામણે એ II૬ll
મણીયાટી મહાવીર, મેરૂતણી પરે ધીર. સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં શાંતિનાથના આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
શાંતિ નૌમીહ ભજ્યા જિનપતિમમલ કંકમેતાહપાડે, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં શાંતિનાથનું આ જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં ત્રણ આરસપ્રતિમા અને પંદર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી દર્શાવી છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. તે સમયે પણ જિનાલયમાં ત્રણ આરસપ્રતિમા અને પંદર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. એટલે કે સં. ૧૯૬૩ની પ્રતિમા સંખ્યા સં૨૦૧૦માં પણ યથાવત્ રહી છે. જિનાલયની સ્થિતિ સારી હતી અને વહીવટ શેઠ સૂરજમલ ગભરૂચંદ હસ્તક હતો.
આજે પણ જિનાલયમાં ત્રણ આરસપ્રતિમા અને પંદર ધાતુપ્રતિમા બિરાજમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org