SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૫. પાટણનાં જિનાલયો પ્રેમવિજયરચિત “૩૬૫ શ્રી પાર્શ્વનાથ જિન નામમાલા'માં શ્રી ટાંકલા પાર્શ્વનાથનું નામ ગૂંથેલું છે. સં. ૧૬૮માં મુનિ ગુણવિજયના શિષ્ય રચેલા “૧૦૮ નામ ગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવન'માં આ પાર્શ્વપ્રભુનો પણ નામનિર્દેશ કરેલો છે. અમારી માન્યતા પ્રમાણે ડંકમહેતાના પાડામાં આવેલું ટાંકલા પાર્શ્વનાથનું જિનાલય સં. ૧૯૫૯ પૂર્વેનું છે. અને ટાંકલા પાર્શ્વનાથની પ્રતિમા સં. ૧૭૨૯ પૂર્વેની છે. કિમહેતાનો પાડો શાંતિનાથ (સં. ૧૬૪૮ પૂર્વે). ઘીવટા વિસ્તારમાં આવેલા ડંકમહેતાના પાડામાં પ્રવેશતાં ડાબી બાજુએ પ્રથમ ઉપાશ્રય આવે છે અને તેની બાજુમાં શ્રી શાંતિનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. જિનાલય તથા ઉપાશ્રય બન્નેમાં જવાનો એક જ રસ્તો, જાળીવાળો ઝાંપો છે. પગથિયાં ચડતાં આપણી ડાબી બાજુ એક પ્રવેશદ્વાર આવે જેમાંથી જિનાલયના રંગમંડપમાં પ્રવેશી શકાય છે. જિનાલયના બહારના થાંભલા રંગીન છે અને તેના પર હાથીના મુખમાંથી નીકળતી કોરણી તથા કાષ્ઠના પ્રવેશદ્વાર પર અષ્ટમંગલની તથા નીચેના ભાગે દ્વારપાળની રચના છે. રંગમંડપની દીવાલો, સ્થંભ તથા છત પર રંગકામ તથા ચિત્રકામ છે. રંગમંડપની મધ્યે ઉપરની બાજુએ જાળી છે. ત્યાં અષ્ટમંગલની રચના છે. રંગમંડપની મોટા ભાગની દીવાલો આરસની છે અને ત્યાં સિદ્ધચક્ર તથા ગિરનારના મોટા પટ તથા નંદીશ્વર દ્વીપ અને શંખેશ્વરના નાના પટ ઉપર નીચે છે. રંગમંડપના પ્રવેશદ્વાર પાસે જમણી બાજુના એક કબાટમાં આરસના પગલાંની બે જોડ છે. તે પૈકી એક પાદુકા પર “સં. ૧૮૦૫ ......... લક્ષ્મીસાગરસૂરિ શિષ્ય રવિસાગરગણિનાં પાદુકા' વાંચી શકાય છે. તથા અન્ય પાદુકા શ્રી પ્રતાપસાગરગણિવરની છે. ગભારાને એક જ ગર્ભદ્વાર છે. ગર્ભદ્વારની આજુબાજુ બે બારીઓ છે. બારીઓની ઉપરની દીવાલે શાંતિનાથના ઉપસાવેલ પૂર્વ ભવોની રચના છે. ગભારામાં ત્રણ આરસપ્રતિમા તથા પંદર ધાતુપ્રતિમા છે. ઉપરાંત નમસ્કાર મુદ્રાવાળી દેવની એક ધાતુમૂર્તિ છે. ૨૩” ઊંચાઈ ધરાવતી મૂળનાયક શ્રી શાંતિનાથની સપરિકર પ્રતિમા પર “સ. ૧૪૮૨ વર્ષે ફા. શુ. ૨ શની ....... પુત્ર માલામેન ભાતૃ દેવરાજ શીવા ....... શ્રી સોમ. સૂરિભિઃ' – એ મુજબનો લેખ છે. શાશ્વતાદેવી પર સં. ૨૦૧૬નો લેખ છે. ડાબા ગભારે આદેશ્વર તથા જમણા ગભારે મહાવીર સ્વામી બિરાજમાન છે. આ બન્ને પ્રતિમાઓ પર લેખ છે પણ વાંચી શકાતો નથી. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મહતાની પોળમાં શાંતિનાથના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy