________________
પાટણનાં જિનાલયો
૨૧૧
ગણાય છે. બાજુમાં મહાલક્ષ્મીદેવીની મૂર્તિ છે. અહીં અન્ય બાર ધાતુપ્રતિમા છે.
સહસ્ત્રકૂટનું આ ઘરદેરાસર પ્રાચીન છે. તેના પરના લેખમાં સં. ૧૭૭૪ જેઠ સુદ ૮ શ્રી તેજસી જેતસી શાહે શ્રી મહિમાપ્રભસૂરિ તથા ભાનુપ્રભસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવ્યાની વિગત છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સહગ્નકૂટના આ ઘરદેરાસર વિશે વિગતવાર નોંધ આપવામાં આવી છે. આ ઘરદેરાસર ચંદ્રભાણ દોસીનું ઘરદેરાસર દર્શાવવામાં આવેલું છે. સહગ્નકૂટની સંખ્યાને ચૈત્યપરિપાટીમાં હાંસિયામાં સમજાવવામાં પણ આવેલ છે. “૩૦ ચોવીસ જિન = ૭૨૦, ૧૬૦ બત્રીસવિજય, ૧૨૦ જિનકલ્યાણના, ૨૦ વિહરમાન, ૪ શાશ્વત સર્વે થઈ ૧૦૨૪ જિનપ્રતિમા.”
ચંદ્રભાણ દોસી ગૃહ, સહસકોટ અતિસાર,
ચોમુષ પ્રતિમાં ધાતુમય, પ્રણમું એકહજાર. ૧. ત્યારબાદ સં. ૧૮૨૧માં ઉપાજ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં, સં. ૧૯૫૯માં પ૦ હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં. ૨૦૧૦માં પણ આ ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સહગ્નકૂટના આ ઘરદેરાસરમાં તેર ધાતુપ્રતિમા હતી. ઘરદેરાસરની સ્થિતિ સાધારણ હતી. ઉપરાંત પગલાંની બે જોડનો પણ ઉલ્લેખ થયેલો છે.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસરમાં બાર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. તે સમયે આ ઘરદેરાસર નગરશેઠ કેશવલાલ અમરચંદના પરિવારનું ઘરદેરાસર તરીકે પ્રચલિત હતું. ઉપરાંત તે સમયે અહીં ગૌતમસ્વામીની ધાતુમૂર્તિ તથા બે ગુરુમૂર્તિઓનો પણ ઉલ્લેખ થયેલો છે.
આજે પણ આ ઘરદેરાસર નગરશેઠ કુટુંબના ઘરદેરાસર તરીકે પ્રચલિત છે. અહીં બાર ધાતુપ્રતિમા બિરાજમાન છે અને પગલાંની એક જોડ છે. ઉપરાંત નગરશેઠ કુટુંબનાં કુળદેવી પણ અહીં બિરાજે છે.
આ ઘરદેરાસરનું સ્તવન મુનિ શ્રી દીપચંદ્રજીએ રચ્યું છે જે નીચે મુજબ છે : સહસ કોટ જીન પ્રતિમા વંદીએ, મન ધરી અધિક જગીસ વિવેકી સુંદર મૂરતી અતિ સોહમણિ, એક સહસ ચોવીશ વિવેકી.
સહસ. અતીત અનાગત ને વર્તમાનની, ત્રણ ચોવીશી એ સાર વિવેકી બોતેર જીનવર એક ક્ષેત્રમાં, પ્રણમીજે વારંવાર વિવેકી.
સહસ. પંચ ભરત વળી એરા વત પાંચમેં, સરખી રીતે સમાજ વિવેકી દશક્ષેત્ર કરી સાતસેવીશ, અધિક જીનરાજ વિવેકી.
સહસ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org