________________
પાટણનાં જિનાલયો
શ્રીમાલિ જ્ઞાતીય દો. ધનજી ભાર્યા મરઘાઈ સુત દો. સંતોષીકેન ભાર્યા સહજલદે પ્રમુખકુટુંબયુતેન સ્વશ્રેયસે શ્રી શુભદેવ પરિકરઃ કારિતઃ પ્રતિષ્ઠિતશ્વ તપાગચ્છ ભટ્ટારક પુરંદર ભટ્ટારક શ્રી હીરવિજયસૂરીશ્વર શિષ્ય ભટ્ટારક શ્રી વિજયસેનસૂરીશ્વર પટ્ટાલંકારહારાનુકારિ ભટ્ટારક શ્રી વિજયદેવસૂરિભિ રિતિ ભદ્રં ”
૨૧૦
આ ઉપરાંત અન્ય બે ધાતુ મૂર્તિઓ પણ છે જે પૈકી એક ફક્ત દોઢ ઇંચની શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા ઉલ્લેખનીય છે. ભગવાનને બેસાડવાની પાળી કાષ્ઠની છે જેના પર પિત્તળનું પતરું લગાડેલ છે.
આ ઘરદેરાસરનું લાકડાનું કોતરકામ સારામાં સારું ગણાય છે. જો કે, હાલમાં તેનું રંગકામ ખૂબ ખરાબ થઈ ગયું છે. મકાન જીર્ણ હાલતમાં છે. ઘરદેરાસરવાળો પ્રથમ માળ પણ જીર્ણોદ્ધાર માંગે છે. પાટણમાં કોતરણીની દૃષ્ટિએ માત્ર જિનાલયો જ નહીં પણ ઘરદેરાસરો તો અનુપમ છે તે વિધાન આ ઘરદેરાસર જોતાં સાર્થક ઠરે છે અને એટલે જ, આ અતિ જીર્ણ થઈ રહેલું ઘરદેરાસર સચવાઈ જાય તેવાં પગલાં લેવાય તો સારું.
ઐતિહાસિક સંદર્ભ
આજે શ્રી જશવંતલાલ કસ્તુરચંદ દાંતી પરિવારના ઘરદેરાસર તરીકે પ્રચલિત આ ઘરદેરાસરનો ઉલ્લેખ સૌ પ્રથમ સં ૨૦૧૦માં મળે છે. સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસર શાહ લલ્લુભાઈ મગનલાલ પરિવારના નામે ઓળખાતું હતું. તે સમયે આ ઘરદેરાસરના લાકડાના કોતરકામની ખાસ નોંધ લેવામાં આવી હતી. આ ઘરદેરાસરમાં એક ધાતુપ્રતિમા બિરાજમાન હતી.
આજે આ ઘરદેરાસરનો વહીવટ મુંબઈનિવાસી શ્રી જશવંતભાઈ કસ્તુરચંદ દાંતી
હસ્તક છે.
ટૂંકમાં આ ઘરદેરાસર સં ૨૦૧૦ પૂર્વેનું છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ ઘરદેરાસર ઘણું પ્રાચીન છે.
મણિયાતીપાડો
સહસ્રકૂટ (નગરશેઠ કુટુંબનું ઘરદેરાસર) (સં. ૧૭૭૪)
ઘીવટા વિસ્તારના નાકે આવેલા મણિયાતીપાડામાંના નગરશેઠના વાડામાં પથ્થરનું બનેલું, ખૂબ જ જાણીતું સહસ્રકૂટનું ઘરદેરાસર આવેલું છે. નગરશેઠના દેરાસર તરીકે તે ઓળખાય છે. ભારતભરમાં પંચધાતુના સહસ્રકૂટ એક-બે સ્થાને જ છે, તેથી તે વિરલ છે. આ ઘરદેરાસરમાં ખૂણામાં અંબિકાદેવીની ધાતુ મૂર્તિ છે જે નગરશેઠ કુટુંબના કુળદેવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org