________________
પાટણનાં જિનાલયો
૨૦૭ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક થયેલો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં મહાવીરસ્વામીના આ જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. જિનાલયમાં નવ આરસપ્રતિમા તથા સત્તાવીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સાધારણ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય શિખરબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં નવ આરસપ્રતિમા તથા ત્રેવીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શાહ મણીલાલ ગભરૂચંદ હસ્તક હતો.
સં. ૧૯૬૩માં આ જિનાલય શિખર વિનાનું હતું અને સં. ૨૦૧૦માં આ જિનાલય શિખરબંધી હોવાનું દર્શાવ્યું છે. સંભવ છે કે તે સમય દરમ્યાન જીર્ણોદ્ધાર થયો હોય. આજે આ જિનાલય શિખરબંધી જ છે. વહીવટદાર તરીકે આ વિસ્તારમાં રહેતા કીર્તિભાઈ અમૃતલાલ શાહ તથા મુંબઈ રહેતા શ્રી પ્રવીણભાઈ સારાભાઈ નગરશેઠ તથા શ્રી ભગવાનલાલ કેશવલાલ નગરશેઠ સેવાઓ આપે છે. જિનાલયમાં કુલ નવ આરસપ્રતિમા અને વીસ ધાતુપ્રતિમા છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે.
મણિયાતીપાડો આદેશ્વર (સં. ૧૭૭૭ પૂર્વે) .
ઘીવટા વિસ્તારના નાકે આવેલા મણિયાતીપાડામાં શ્રી આદેશ્વર ભગવાનનું આરસ અને - પથ્થરનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. જિનાલય અંદર-બહારથી સાદું છે. અહીં રંગમંડપમાં કોઈ કોતરણી, શિલ્પો, ચિત્રકામ કે પટ નથી.
ગર્ભદ્વાર ત્રણ છે. ગભારામાં મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાનની ૩૩” ઊંચાઈ ધરાવતી પ્રતિમા બિરાજમાન છે તથા ડાબે ગભારે શ્રી વાસુપૂજ્ય તથા જમણે ગભારે શ્રી ચંદ્રપ્રભસ્વામી બિરાજે છે. અહીં ચૌદ આરસપ્રતિમા પૈકી એક કાઉસ્સગ્ગિયા તથા એક ચૌમુખી પ્રતિમા છે. તે પૈકી કાઉસગ્ગ મુદ્રાવાળી પ્રતિમા પર સં. ૧૪૯૫નો લેખ છે. ધાતુપ્રતિમા છવ્વીસ છે જે પૈકી એક યક્ષ મૂર્તિ છે. ગભારામાં જ આરસનો ચોવીસજિનમાતૃકાપટ છે.
- રંગમંડપમાં દીવાલે કાપડ પર લખાયેલ એક આમંત્રણ પત્રિકા કાચની ફ્રેમમાં મઢેલી છે. તેના લખાણ મુજબ સં. ૨૦૨૫માં અહીં શ્રી કાંતિવિજયજી તથા શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના ઉપદેશથી શ્રી વિજયનંદનસૂરીશ્વરજી દ્વારા કાઢી આપેલ મુહૂર્ત સં. ૨૦૨૫માં મુનિ શ્રી- દર્શનવિજયજી દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે.
ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org