________________
૨૦૪
પાટણનાં જિનાલયો
ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૯૫૯માં પં હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં અને સં. ૨૦૦૮માં આ જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક થયેલો છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલય શિખર વિનાનું દર્શાવ્યું છે. ત્યારે સાત આરસપ્રતિમા અને ચાર ધાતુપ્રતિમા ઉપરાંત રત્નની એક પ્રતિમા બિરાજમાન હતી. ઉપરાંત અહીં પગલાંની એક જોડ પણ હતી. જિનાલયની સ્થિતિ સારી હતી.
આજે જિનાલયના વહીવટદાર તરીકે આ વિસ્તારમાં રહેતા શ્રી ધરણેન્દ્રભાઈ મહાસુખલાલ શાહ તથા મુંબઈનિવાસી યોગેશભાઈ ભોગીલાલ શાહ અને હેમંતભાઈ હરસુખભાઈ શાહ સેવાઓ આપે છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૬૧૩ પૂર્વેનું છે.
મણિયાતીપાડો ઘીવટા વિસ્તારમાં આવેલો મણિયાતી પાડો અગાઉ ચ(મ)ણહટડી, મણહટ્ટીયાપાડો, મણિયાતી પાડો વગેરે નામોથી ઓળખાતો હતો.
સં. ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ચ(મ)ણહટડી વિસ્તારમાં શાંતિનાથનું એક જિનાલય વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
ચણહટડી સંતીસર એ સિરિ સોલમઉ નિણંદ ત,
દરસણિ દોષમ બહુ હરખે, નિજ કુલ કેર ચંદ ત. ૧૭ ત્યારબાદ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મણહટ્ટીયાપાડામાં મહાવીરસ્વામીના જિનાલયનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે જિનાલય નવું હતું તેવો ઉલ્લેખ પણ થયેલો છે :
મણહટ્ટીઆ પાડા માહિ મહાવીર વષાણું,
તિહાં પ્રસાદ નવુ કરિઓ પ્રતિમા પાંચ જાણું ૯૩ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મણહટ્ટીઆપાડામાં મહાવીરસ્વામીનું જિનાલય તથા દેવદત્તનું એક ઘરદેરાસર વિદ્યમાન હતાં :
મણિહટ્ટનાં દેહરઈ રે, વીરજિન મહિમા મેર ઈ. પ્રતિમા પંચ તે જાણવું રે, દેવદત્ત ચૈત્ય વખાણવું | |૩૩
તેર જિસેસર ભાવી રે, માંકા મહિતાનઇ પાટકિ આવી. સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મણીયાટીપાડામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org