________________
પાટણનાં જિનાલયો
ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં તથા સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં અને સં ૨૦૦૮માં મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. ત્યારે બાર આરસપ્રતિમા અને અગિયાર ધાતુપ્રતિમા હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. આજે જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં જ રહેતા શ્રી ધરણેન્દ્રભાઈ મહાસુખલાલ શાહ તથા મુંબઈનિવાસી શ્રી યોગેશભાઈ ભોગીલાલ શાહ અને શ્રી હેમંતભાઈ હસમુખલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં ૧૬૧૩ પૂર્વેનું છે.
૨૦૩
ઊંચી પોળ, સોનીવાડો મહાવીરસ્વામી (સં. ૧૬૧૩ પૂર્વે)
સોનીવાડા વિસ્તારની ઊંચી પોળમાં શ્રી શાંતિનાથ તથા મહાવીરસ્વામીનું ઘુમ્મટબંધી જિનાલય ખૂણામાં આવેલું છે.
બન્ને જિનાલયમાં પ્રવેશવા માટે પ્રવેશદ્વાર એક જ છે. પ્રવેશતાં, ડાબી બાજુ શ્રી શાંતિનાથનું જિનાલય છે તથા જમણી બાજુ શ્રી મહાવીરસ્વામીનું જિનાલય છે. આ જિનાલયની બાજુમાં તથા શ્રી શાંતિનાથની સામે પૂજારીને રહેવાની ઓરડીની સગવડ છે.
અહીં જિનાલયના રંગમંડપમાં પ્રવેશવાનો મુખ્ય એક દ્વાર છે. રંગમંડપ સાદો છે. અહીં કોઈ વિશિષ્ટ કારીગરી જોવા મળતી નથી.
એક જ ગર્ભદ્વારવાળા નાના ગભારામાં શ્રી મહાવીરસ્વામીની ૫૩' ઊંચાઈ ધરાવતી અલૌકિક પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમા સંપ્રતિ મહારાજના સમયની છે. અહીં સાત આરસપ્રતિમા છે જે પૈકી ચાર મોટી પ્રતિમા કાઉસ્સગ્ગિયા છે. સાત ધાતુપ્રતિમા છે. ગભારામાં દીવાલ પર સુંદર મીના કારીગરી છે.
શાંતિનાથના જિનાલયની વર્ષગાંઠ મહા સુદ ૫ તથા મહાવીરસ્વામીના જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ ૭ના રોજ આવે છે. પ્રભુને આ બન્ને દિવસો ઉપરાંત મહાવી૨જયંતિ તથા બેસતા વર્ષના રોજ આંગી થાય છે.
Jain Education International
ઐતિહાસિક સંદર્ભ
આ જિનાલયનો ચૈત્યપરિપાટીઓમાં સૌ પ્રથમ ઉલ્લેખ સં ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ
For Personal & Private Use Only
www.jainelibrary.org