________________
૨૦૨
પાટણનાં જિનાલયો
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સો નીવાડામાં શાંતિનાથ તથા મહાવીરસ્વામીના બે જિનાલયોનો ઉલ્લેખ મળે છે.
સં. ૨૦૦૮ તથા સં. ૨૦૧૮માં પણ સોનીવાડામાં ઉપર્યુક્ત બે જિનાલયોનો ઉલ્લેખ આવે છે.
આજે પણ સોનીવાડામાં ઊંચીપોળમાં શાંતિનાથ તથા મહાવીરસ્વામીના બે જિનાલયો વિદ્યમાન છે.
ઊંચી પોળ, સોનીવાડો
શાંતિનાથ (સં. ૧૬ ૧૩ પૂર્વે) સોનીવાડા વિસ્તારમાં ઊંચી પોળમાં શ્રી શાંતિનાથ તથા મહાવીરસ્વામીના ઘુમ્મટબંધી જિનાલયો ખૂણામાં આવેલા છે.
આ બન્ને જિનાલયોમાં પ્રવેશવા માટેના દ્વાર એક જ છે. પરંતુ બન્ને જિનાલયો સામસામે છે જેમાં મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ પાણીના ટાંકા પાસે શ્રી શાંતિનાથના , જિનાલયનું પ્રવેશદ્વાર આવેલું છે.
આ જિનાલયનો રંગમંડપ મોટો છે. તેના થાંભલા પર કાચકામ થયેલું છે અને નીચેના ભાગમાં ટાઇલ્સ છે. જિનાલયમાં આરસ તથા કાષ્ઠનો ઉપયોગ થયેલો છે. રંગમંડપમાં ગોખની રચના પણ છે પરંતુ તેમાં ભગવાનની કોઈ પ્રતિમા નથી. દીવાલ પર કાચના અરીસાઓ જડેલા છે. રંગમંડપમાં ડાબી બાજુની દીવાલે શ્રી શત્રુંજયનો ચિત્રિત પટ છે. ત્રણ ગર્ભદ્વાર ધરાવતા ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથની ૪૭” ઊંચાઈની પ્રતિમા ચાંદીની કલાત્મક છત્રીમાં બિરાજમાન છે. પ્રભુજીની પ્રતિમાના અલૌકિક રૂપનાં દર્શન મનને મુગ્ધ બનાવી દે છે. છત્રીમાં વચ્ચે કળા કરતો મોર, આજુબાજુમાં થાંભલા પર હાથી તથા નીચેના ભાગમાં શિલ્પોની સુંદર કારીગરી જોવા મળે છે.
અહીં બાર આરસપ્રતિમા છે જે પૈકી એક કાઉસ્સગ્ગિયા છે તથા એક ચૌમુખજી છે. દસ ધાતુપ્રતિમા છે. ગભારામાં ડાબી બાજુ આરસનો માતૃકાપટ પણ છે.
આ જિનાલયની વર્ષગાંઠ મહા સુદ ૫ તથા મહાવીરસ્વામીના જિનાલયની વર્ષગાંઠ વૈશાખ સુદ ૭ના રોજ આવે છે. પ્રભુને આ બન્ને દિવસો ઉપરાંત મહાવીરજયંતિ તથા બેસતા વર્ષના રોજ પણ આંગી થાય છે.
ઐતિહાસિક સંદર્ભ આ વિસ્તારમાં શાંતિનાથના જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં મળે છે. ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org