________________
પાટણનાં જિનાલયો
૧૯૯ અને તેર ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. વહીવટ શેઠ લહેરભાઈ હાલાભાઈ હસ્તક હતો.
આજે જિનાલયમાં કુલ છ આરસપ્રતિમા તથા ચોવીસ ધાતુપ્રતિમા છે. વહીવટ આ વિસ્તારમાં રહેતા શ્રી પ્રકાશભાઈ પ્રેમચંદ શાહ તથા મુંબઈનિવાસી શ્રી સુમતિલાલ ભોગીલાલ શાહ હસ્તક છે.
ટૂંકમાં આ જિનાલય સં. ૧૯૪૮ના સમયનું છે.
ચૌધરીની શેરી, ફોફલિયાવાડો
નેમિનાથ (સં. ૧૮૭૫)
ફોફલિયાવાડા વિસ્તારમાં પ્રવેશ્યા બાદ જમણી બાજુએ અંદરના ભાગમાં મોટો ચોક જેવો વિસ્તાર છે જે ચૌધરીની શેરી તરીકે ઓળખાય છે. અહીં શ્રી નેમિનાથનું બે મજલાવાળું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
જિનાલયનું મુખ્ય પ્રવેશદ્વાર અને તેની બારસાખ સુંદર રંગીન કોતરણીવાળાં છે. રંગીન કોતરણીવાળી મગરમુખી કમાનો પરની સિંહની શિલ્પાકૃતિ અને થાંભલા પર બંસરીવાદન કરતાં શ્રીકૃષ્ણ અને દ્વાર પરની પૂતળીઓ અને ધર્મચક્ર જિનાલયના બહારના ભાગને રમ્ય બનાવે છે.
રંગમંડપમાં પ્રવેશવાનું લાકડાનું બારણું, બારસાખ અને ટોડલા રંગીન બારીક કોતરણીવાળા છે. તે જ રીતે રંગમંડપના દસ કાઇસ્તંભો, ટોડલા તથા કમાનોની બારીક રંગીન કોતરણી અને પૂતળીઓ, મયૂર વગેરે શિલ્પો મોહ પમાડે તેવાં છે. અહીં ઊભા રહી, રંગમંડપની બધી દીવાલો અને છત પર એક નજર નાંખો તો છક થઈ જવાય એટલું – એક ઇંચ જગ્યા ખાલી ન રહે તેવું – ચિત્રકામ છે. દીવાલોમાંના ગોખલાને પણ પથ્થરની કોતરણી ! એમાં ય અહીંનાં રંગીન, મોટાં ઝુમ્મરો જિનાલયની શોભામાં ચાર ચાંદ લગાવી જાય છે ! (ટાઈટલ નં. ૧)
રંગમંડપની દીવાલો પરના પટ-પ્રસંગો નીચે મુજબ છે : શત્રુંજય, અષ્ટાપદ, પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહીના પટ તથા મહાવીર પ્રભુનો વિહાર, ચામર વીંઝતા ઇન્દ્ર, ચંડકૌશિક નાગનો પ્રસંગ, સમવસરણમાં બિરાજમાન ભગવાનની દેશના, જન્મ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, પાર્શ્વનાથ અને કમઠનો ઉપસર્ગ, રોગથી કંટાળેલા કરકંડમુનિ, કામવિજેતા સ્થૂલિભદ્ર, ગજસુકુમારમુનિ તથા મેતાર્યમુનિના જીવનપ્રસંગો, પંચકલ્યાણકોનાં પ્રસંગચિત્રો તેમજ સિદ્ધચક્ર યંત્ર પણ ચિત્રિત કરેલ છે.
કોતરણીવાળા ટોડલા, બારસાખ અને રજતજડિત ત્રણ ગર્ભદ્વાર છે. મુખ્ય ગર્ભદ્વારની બારસાખે ચૌદ સ્વપ્નો તથા પ્રભુ દર્શને આવતાં બે ઇન્દ્રોનું ચિત્ર છે. આજુબાજુના અન્ય બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org