SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ પાટણનાં જિનાલયો એકવીસ આરસપ્રતિમા અને ઓગણપચાસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયનો સમય સંક ૧૯૩૭ મહા સુદ ૧૧ દર્શાવ્યો છે. સંભવ છે કે સં૧૯૩૭માં જિનાલયનો ફરી જીર્ણોદ્ધાર થયો હશે. સં. ૨૦૧૦માં વહીવટ રાયચંદ ઘેલાભાઈ હસ્તક હતો. જિનાલયની સ્થિતિ સારી હતી. જિનાલયનો વહીવટ આ વિસ્તારમાં રહેતા શ્રી પ્રકાશભાઈ પ્રેમચંદ શાહ તથા મુંબઈનિવાસી શ્રી સુમતિલાલ ભોગીલાલ શાહ હસ્તક છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં. ૧૭૨૯ પૂર્વેનું છે. વખતજીની શેરી, ફોફલિયાવાડો મુનિસુવ્રતસ્વામી (સં. ૧૯૪૮) ફોફલિયાવાડા વિસ્તારની વખતજીની શેરીમાં શ્રી સંભવનાથના જિનાલયની બિલકુલ સામે શ્રી મુનિસુવ્રતસ્વામીનું ધાબાબંધી જિનાલય આવેલું છે. જિનાલયનો બાહ્ય દેખાવ સુંદર છે. જિનાલયની બહારની દીવાલે બે દ્વારપાળ છે. અહીં દીવાલ તથા મુખ્ય પ્રવેશદ્વારની આજુબાજુ સિંહ, મોર, મલ્લકુસ્તી, તાપસ અને પરીઓનાં શિલ્પો છે. રંગકામ સુંદર છે. છત પર ફૂલોનાં સુંદર ચિત્રો છે. પ્રવેશચોકી મગરમુખી કમાનો, સિંહ તથા વાઘનાં શિલ્પોવાળી છે. રંગમંડપ નાનો છે. અહીં મૂળનાયકના ગભારા સિવાયના અન્ય એક નાનો ગભારો છે. તેમાં મૂળનાયક તરીકે શ્રી શીતલનાથની ધાતુપ્રતિમા બિરાજમાન છે. આ ગભારામાં ઓગણીસ ધાતુપ્રતિમા છે. વળી, અહીં આરસની એક શ્યામ રંગની પ્રતિમા પણ છે. મૂળનાયક શીતલનાથની પ્રતિમા પરના લેખમાં નીચે મુજબનું લખાણ છે : “સં. ૧૫૪૨. ફાગણવદ ૩...પ્રાગ્વાટજ્ઞાતી...જબકુ. શીતલનાથ...સિદ્ધાંતસૂરિભિઃ” કોઈનું ઘરદેરાસર અત્રે પધરાવેલ હોવાનું અનુમાન થઈ શકે. જો કે ત્યાંના રહીશો આ બાબતે કાંઈ કહી શક્યા નથી કે એ અંગેનું બીજું કોઈ લખાણ પણ પ્રાપ્ત થયું નથી. મુખ્ય ગભારાને એક ગર્ભદ્વાર છે. ૧૭” ઊંચાઈ ધરાવતી શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા અત્રે મૂળનાયક તરીકે બિરાજમાન છે. અત્રે કુલ પાંચ આરસપ્રતિમા અને પાંચ ધાતુપ્રતિમા છે. ઐતિહાસિક સંદર્ભ આ જિનાલયનો સૌ પ્રથમ ઉલ્લેખ સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં વખતજીની શેરીમાં થયેલો છે. ત્યારબાદ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને શિખર વિનાનું દર્શાવ્યું છે. આ જિનાલયની સ્થાપનાનો સમય સં. ૧૯૪૮ દર્શાવવામાં આવ્યો છે. જિનાલય બંધાવનાર તરીકે શાસાકરચંદ ઉમેદચંદના નામનો ઉલ્લેખ છે. જિનાલયમાં ચાર આરસપ્રતિમા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy