SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો ૧૯૭ વખતજીની શેરી, ફોફલિયાવાડો સંભવનાથ (સં. ૧૭૨૯ પૂર્વે) ફોફલિયાવાડા વિસ્તારમાં આવેલી વખતજીની શેરીમાં પ્રવેશતાં ડાબી બાજુએ, શ્રી મુનિસુવ્રતસ્વામીના જિનાલયની સામે બહારથી સુંદર દેખાતું શ્રી સંભવનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. જિનાલયની બહારની દીવાલો, છત તથા પ્રવેશચોકી કોતરણી અને અનેકવિધ શિલ્પો – જેવાં કે : ફળ-ફૂલ, મલ્લયુદ્ધ કરતાં મલ્લો, દ્વારપાળ, વિવિધ આસનમુદ્રામાં તાપસો, હાથી, રીંછ, વાંદરા, પરીઓ વગેરે-થી સોહે છે. પ્રવેશદ્વાર એક છે. રંગમંડપમાં સાદા પથ્થરના તોરણયુક્ત ચોવીસ તંભો છે. તોરણોની બારીક કોતરણી અને રંગકામ ધ્યાન ખેંચે છે. છત પર લટકતાં કમળનાં શિલ્પો સુંદરતામાં વધારો કરે છે. રંગમંડપની બન્ને બાજુની દીવાલોમાં અરીસાવાળા લાકડાનાં આઠ કબાટો છે. ત્રણ ગર્ભદ્વાર પૈકી મુખ્ય ગર્ભદ્વારની ઉપરની દીવાલ તથા બારસાખ ઉપર સિંહ, હાથી અને કળશની કોતરણી છે. ગભારામાં મૂળનાયકની પ્રતિમા પર ચાંદીના પટ છે જેમાં મહાવીરસ્વામીનો કાનમાંથી ખીલા કાઢવાનો પ્રસંગ, સંગમદેવનો ઉપસર્ગ તથા સિંહનો ઉપસર્ગ ઉપસાવેલ છે. તેની બન્ને બાજુ ચાંદીના સ્તંભ છે. અહીં રંગીન પણ સાદી દસ કમાનો છે. ગભારામાં ૧૭” ઊંચાઈ ધરાવતી શ્રી સંભવનાથની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. જમણે ગભારે સંભવનાથની રાતા રંગની તથા ડાબા ગભારે મહાવીરસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. અહીં સત્તર આરસપ્રતિમા છે જે પૈકી એક પાર્શ્વનાથની શ્યામ રંગની પ્રતિમા છે. આરસની અન્ય એક પ્રતિમામાં નીચે દેવીમૂર્તિ છે. સુડતાળીસ ધાતુપ્રતિમા છે. અહીં આરસની બે ગુરુમૂર્તિઓ પૈકી એક ગૌતમસ્વામીની છે. અન્ય ગુરુમૂર્તિ કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. ઐતિહાસિક સંદર્ભ સંભવનાથના આ જિનાલયનો ઉલ્લેખ સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. ત્યારબાદ સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં, સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં તથા સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ સાતત્યપૂર્વક મળે છે. સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને એક શિખરવાળું દર્શાવ્યું છે. જિનાલયમાં ત્રેવીસ આરસપ્રતિમા તથા ચોપન ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયનો સમય તે સમયે સં. ૧૮૫૭ દર્શાવેલ છે. સંભવ છે કે સં. ૧૮૫૭માં જિનાલયનો જીર્ણોદ્ધાર થયો હોય. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલય ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy