________________
પાટણનાં જિનાલયો
“સં. ૧૬૪૯ વર્ષ માધ વદિ ૨ પત્તન વાસ્તવ્ય પ્રાગ્ધાટ જ્ઞાતીય સા પૂજાના સ્વશ્રેયાર્થ શ્રી શાંતિનાથ બિંબં કારિત પ્રતિષ્ઠિત તપાગચ્છ શ્રી હીરવિજયસૂરિભિઃ પાતશાહ શ્રી અકબર વિજયે ।''
૧૯૬
ઐતિહાસિક સંદર્ભ
ફોફલિયાવાડામાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સૌ પ્રથમ વાર મળે છે. ત્યારબાદ સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં, સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ મળે છે.
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં સૌ પ્રથમ વાર આ જિનાલયનો નામોલ્લેખ મનમોહન પાર્શ્વનાથના જિનાલય તરીકે મળે છે.
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયને શિખર વિનાનું હોવાનું દર્શાવ્યું છે. જિનાલયમાં સાત આરસપ્રતિમા તથા ચુમ્માળીસ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયનો વહીવટ શા. સૂરચંદ જેચંદ હસ્તક હતો. જ્યારે મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં અલગ દેવકુલિકામાં બિરાજમાન શાંતિનાથના ઘરદેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં મનમોહનની શેરી, ફોફલિયાવાડામાં શા ગભરૂચંદ ગમાનચંદના ઘરદેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ ઘરદેરાસરમાં બે આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા બિરાજમાન હતી.
સં ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ફોફલિયાવાડામાં મનમોહનની શેરીમાં આવેલા મનમોહન પાર્શ્વનાથના આ જિનાલયને ધાબાબંધી દર્શાવ્યું છે. જિનાલયમાં સાત આરસપ્રતિમા તથા અઠ્ઠાવન ધાતુપ્રતિમા બિરાજમાન હતી. જિનાલયની સ્થિતિ સારી હતી. ઉપરાંત આ વિસ્તારમાં શાંતિનાથના ઘરદેરાસરના ઘરદેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે બે આરસપ્રતિમા તથા ત્રણ ધાતુપ્રતિમા હતી. તથા ઘરદેરાસર બંધાવનાર તરીકે શા ગભરૂચંદ ગુમાનચંદના વડીલો – એ મુજબનો ઉલ્લેખ થયેલો છે.
જિનાલયનો વહીવટ ફોલિયાવાડામાં રહેતા શ્રી મનંજયભાઈ સેવંતીલાલ શાહ, શ્રી અશોકકુમાર જયંતિલાલ ઝવેરી, શ્રી ભૂપેન્દ્રભાઈ જયંતિલાલ શાહ અને મુંબઈનિવાસી શ્રી કંચનલાલ વાડીલાલ શાહ હસ્તક છે.
મૂળનાયક શ્રી મનમોહન પાર્શ્વનાથની પ્રતિમા ૫૨ સં. ૧૪૬૯નો લેખ છે. અમારી માન્યતા પ્રમાણે આ જિનાલય સં ૧૬૧૩ પૂર્વેનું છે. તથા શાંતિનાથનું ઘરદેરાસર સં ૨૦૨૩માં આ જિનાલયમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org