SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો સુંદર યંત્રો છે. મૂળનાયકની પાછળ દીવાલ પર સિદ્ધચક્રજી, જમણે ગભારે બિરાજમાન પ્રતિમાની પાછળની દીવાલ પર નિર્રન્થ ઓમકારમાલા ગ્રંથ તથા ડાબે ગભારે બિરાજમાન પ્રતિમાની પાછળની દીવાલ પર ઋષિમંડળ યંત્રની રચનાઓ છે. અહીં ૧૫'' ઊંચાઈ ધરાવતી મનમોહન પાર્શ્વનાથની સપરિકર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયકનું પરિકર સં. ૨૦૧૩માં મહા સુદી ૬ બુધવારે શેઠ વાડીલાલ ચુનીલાલના પત્ની ચંપાબાઈએ અર્પણ કરેલ છે. પ્રતિમા પરના લેખમાં સંવત ૧૪૬૯ વંચાય છે. જમણે ગભારે શંખેશ્વર પાર્શ્વનાથ તથા ડાબે ગભારે આદેશ્વર બિરાજમાન છે. આ પ્રતિમાઓ સપરિકર છે અને તેમના પરિકરો પણ સં ૨૦૧૩માં બન્યાં છે અને તે ચંપાબાઈની પુત્રી વિમલાબેને બનાવડાવ્યા છે. અહીં આઠ આરસપ્રતિમા અને છ્યાસી ધાતુપ્રતિમા છે જે પૈકી ધાતુના એક ચૌમુખી છે. એક નાના બાજોઠ પર ધાતુનાં પગલાંની ચાર જોડ છે. આ જિનાલયનો જીર્ણોદ્વાર સં. ૨૦૦૮માં શરૂ કરી સં૰ ૨૦૧૩માં પૂર્ણ થતાં પુનઃપ્રતિષ્ઠા થયેલ છે. સ્થાનિક માહિતી પ્રમાણે આજે જમણે ગભારે બિરાજમાન શંખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય આ જિનાલયમાં જ, બાજુમાં અલગ હતું. તેમની વર્ષગાંઠ શ્રાવણ વદ ૫ હતી. બન્ને જિનાલયને ભેગાં કરી એક ભવ્ય જિનાલય બનાવવાની શેરીના ભાઈઓની ઇચ્છાથી અહીં બેઉ જિનાલયો એકમાં જ સમાવેશ પામ્યાં છે. ૧૯૫ આ ઉપરાંત આ જિનાલયમાં અન્ય ત્રણથી ચા૨ જિનાલયો એકરૂપ બન્યાં હોવાનું પોળના રહીશોએ જણાવેલ છે જેમાંથી એક જિનાલય શાંતિનાથનું હતું. આજે તે જિનાલયની પાછળના ભાગમાં છે. આજે મનમોહન પાર્શ્વનાથના જિનાલયમાં એકરૂપ થઈ ચૂકેલું શાંતિનાથનું ઘરદેરાસર મનમોહન પાર્શ્વનાથના જિનાલયની પાછળ ડાબી બાજુ અલગ દેવકુલિકા જેવી રચનામાં પધરાવવામાં આવ્યું છે. તે ઝવેરી કુટુંબનું હતું અને સં ૨૦૩૨ના વૈશાખ વદ ત્રીજના શુક્રવારના રોજ પધરાવેલ છે. દેવકુલિકાના ગભારાના લાકડાના દ્વાર પર આરસના દ્વારપાળો તથા કોતરણીયુક્ત કમાનોવાળા સ્તંભો છે. તેના લાકડાના પ્રવેશદ્વારે ઇન્દ્ર ઇન્દ્રાણી તથા દેવી ત્રાજવાના એક પલ્લે તથા બીજે પલ્લે બેઠેલ કબૂતરની શિલ્પકોતરણી છે. દ્વાર પર જાળી હોવાથી બંધ બારણે પ્રતિમાના દર્શન થઈ શકે તેવી વ્યવસ્થા છે. દેવકુલિકાની દીવાલ પર નીચે મુજબનો લેખ છે : “આ ઘરદેરાસરને અહીં નૂતન દહેરાસર બંધાવી તેમાં સં ૨૪૯૩ વિ સં૰ ૨૦૨૩ના વૈસાક વદી ૩ શુક્રવાર તા. ૨૬-૫૧૯૬૭ના દીને શાંતિનાથ આદિ જિનેશ્વરોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. જૂની વરસગાંઠ વૈસાક વદી ૨ની હતી.” ગભારામાં છત્રીવાળી દેરી જેવી રચનામાં તમામ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ૫૨ શિખર૨ચના તથા આજુબાજુની આરસપ્રતિમા પર ઘુમ્મટરચના છે. અહીં બે આસપ્રતિમા અને બે ધાતુપ્રતિમા છે. અહીં શાંતિનાથની ૩” ઊંચાઈની ધાતુપ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમા પરનો લેખ નીચે મુજબ છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy