SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણનાં જિનાલયો પૈકી જમણી બાજુના તોરણમાં વચ્ચે ચક્રેશ્વરીદેવી અને ડાબી બાજુ વચ્ચે પાર્શ્વનાથને બે હાથીઓ કમળથી પૂજા કરતા નજરે પડે છે. સૌથી ઉપરના ભાગમાં ભમ્મર ગોખની જેમ છત્રી છે જેમાં સરસ્વતીદેવી છે. ઓટલા પરની જાળીઓના નીચેના ભાગમાં નવગ્રહો અને સોળ વિદ્યાદેવીઓ છે. જિનાલયને ફરતે ઉપર દશે દિશાઓમાં ચારે બાજુ દસ દિક્પાલ છે. . ૧૯૪ કાષ્ઠની સુંદર કોતરણીવાળા ત્રણ સુંદર પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશતાં, ઉપ૨ ઘુમ્મટના છતના ભાગમાં પાંચ મેરુપર્વત દૃશ્યમાન થાય છે. આ જિનાલયની વિશેષતા એ છે કે અહીંનાં શિલ્પો તથા તેને લગતી વિગતવાર માહિતી પણ દીવાલે લખી છે જેથી શિલ્પાકૃતિને સમજવી સુગમ પડે. દા.ત. મેરુશિખર, દેવલોક જિનાલયની બહારની બારીની આજુબાજુનાં શિલ્પોની વિગતો. આ જ રીતે રંગમંડપના ઘુમ્મટ – છતના ભાગમાં દેવલોકની રચના છે. છેક ઉપર બાર દેવલોક, નવ ત્રૈવેયક, પાંચ અનુત્તક વિમાન છે. પછી વ્યંતર જ્યોતિષીમાં રહેલા ચાર શાશ્વતા જિનેશ્વરો ઋષભ, ચંદ્રાનન, વારિષણ અને વર્ધમાન – છે. તેની નીચેના ભાગમાં વર્તમાન ચોવીશીના ચોવીસ તીર્થંકરો છે. તેની ઉપર છત્રો છે. બાજુમાં યક્ષ યક્ષિણી છે અને નીચે લાંછન છે. નીચેના ભાગમાં ગજથર અને હંસથર છે. આખા ઘુમ્મટને ચાર દેવોએ જાણે કે અધ્ધર રાખેલ હોય તેવું દૃશ્ય ઊભું કરેલ છે. આ રીતે અહીં દેવલોકની પણ સમજ આપવામાં આવી છે. — રંગમંડપની મુખ્ય ચોકીના ચાર સ્તંભો પર ચાર ચાર અપ્સરાઓનાં શિલ્પો છે. બીજા આઠ સ્તંભો પૈકી દરેક ઉપર એક અપ્સરા મળી આઠ અપ્સરાઓ છે. રંગમંડપમાં ગર્ભગૃહની પાસે સામસામે અત્યંત કલાત્મક દેરીઓ આવેલી છે. ઉપર ઘુમ્મટ અને છત્રી તથા ગોખની નીચેના ભાગમાં મહાવત સાથેના હાથીનું સુંદર શિલ્પ છે. હાથી પર જાણે કે દેરી ઊભેલી હોય અને હાથી પર બેસી યક્ષ યક્ષિણી દર્શનાર્થે જતા હોય ! જમણી બાજુની દેરીમાં શ્યામ આરસના પાર્શ્વયક્ષની મૂર્તિ અને ડાબી બાજુની દેરીમાં પદ્માવતીદેવીની આરસમૂર્તિ બિરાજમાન છે. તેની આજુબાજુ ચામર વીંઝતાં ઇન્દ્રોનાં શિલ્પો અને દર્શન કરતા ઇન્દ્રોનાં ચિત્રો છે. રંગમંડપની ચારે દીવાલો પર આરસ પર કોતરીને તીર્થોના પટ અને પ્રસંગો બનાવેલ છે જેમાં ભગવાનનો અભિષેક, સંપ્રતિ મહારાજના નવા જિનાલયનું ખાતમુહૂર્તની વધાઈ આપવા આવનારને અપાતા દાનનો પ્રસંગ, ધન્ના અણગાર, મેઘરથ રાજાનો ભવ, મેઘકુમાર, ગિરનાર, સ્થૂલિભદ્રના જીવનપ્રસંગો, પોષ દશમનો મહિમા દર્શાવતો પ્રસંગ, પાર્શ્વનાથને બે હાથી દ્વારા કમળથી થતી પૂજાનો પટ, જન્માભિષેક, દીક્ષા કલ્યાણક, અષ્ટાપદ, મેઘમાળીનો ઉપસર્ગ, ગજસુકુમાલનો પ્રસંગ, આદેશ્વરને ઈક્ષુરસથી પારણાનો પ્રસંગ, ખંધકમુનિનો પ્રસંગ, શત્રુંજય, સનતકુમાર ચક્રવર્તીનો પ્રસંગ, મહાવીરસ્વામીને ચંદનબાળા દ્વારા કરાવાતા પારણાનો પ્રસંગ, સંપ્રતિ મહારાજના પૂર્વભવના જીવનના ભિક્ષુકમાંથી જાતિ સ્મરણ જ્ઞાન થાય છે ત્યાં સુધીના પ્રસંગો— તથા ધન્નાકુમારની મહાવીરસ્વામી પાસે લેવાયેલ દીક્ષાનો પ્રસંગ છે. ત્રણ કલાત્મક ગર્ભદ્વાર છે. ગર્ભદ્વારની સામેની દીવાલ પર આરસ અને છીપકામના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy