________________
૧૯૩
પાટણનાં જિનાલયો પ્રતિષ્ઠિત શ્રી બૃહદ્ તપાઇ ભર શ્રી ઉદયસાગરસૂરિભિઃ શ્રી પત્તન વાસ્તવ્ય......”
નોંધ : સં. ૨૦૧૬ના માગશર સુદ પાંચમના રોજ આ ઘરદેરાસરને ફોફલિયાવાડાના જ શાંતિનાથના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે.
ઐતિહાસિક સંદર્ભ આ ઘરદેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં સૌ પ્રથમ વાર મળે છે. તે સમયે મોતીલાલ મોકમચંદ પરિવારનું ઘરદેરાસર તરીકે દર્શાવવામાં આવ્યું છે. અહીં ત્રણ ધાતુપ્રતિમા બિરાજમાન હતી..
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં મોતીલાલ મોકમચંદના પરિવારનું પાર્શ્વનાથનું આ ઘરદેરાસર ત્રીજે માળ હતું. આ ઘરદેરાસરની સ્થાપનાનો સમય સં. ૧૮૭૫ દર્શાવ્યો છે. તે સમયે પણ જિનાલયમાં કુલ ત્રણ ધાતુપ્રતિમા બિરાજમાન હતી. આજે પણ આ ઘરદેરાસરમાં ત્રણ ધાતુપ્રતિમા બિરાજમાન છે. સં. ૨૦૧૦માં વહીવટ શાંતિલાલ પોપટલાલ હસ્તક હતો. સ્થિતિ સારી હતી.
મૂળનાયક પાર્શ્વનાથની ધાતુપ્રતિમા પર સં. ૧૮૨૬નો મૂર્તિલેખ છે. જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ ઘરદેરાસરનો સમય સં. ૧૮૭૫નો દર્શાવ્યો છે. તેને અધિકૃત માની શકાય છે.
ટૂંકમાં આ ઘરદેરાસર સં. ૧૮૭૫ની આસપાસના સમયનું છે.
મનમોહનની શેરી, ફોફલિયાવાડો
મનમોહન પાર્શ્વનાથ (સં. ૧૬૧૩ પૂર્વે) - ફોફલિયાવાડાના વિસ્તારમાં મનમોહનની શેરીમાં પ્રવેશતાં ડાબી બાજુ શ્રી મનમોહન પાર્શ્વનાથનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે. જિનાલયનો બાહ્ય દેખાવ અતિ આલ્હાદક છે. પ્રવેશચોકીની દીવાલ પર વિવિધ વાજિંત્રો વગાડતી મધ્યમ કદની અગિયાર અતિ સુંદર આરસની પૂતળીઓ શોભે છે. જિનાલયમાં પ્રવેશવાના દ્વાર પાસેની દીવાલ પર બે હાથી પર, અંબાડીમાં બેઠેલા શ્રેષ્ઠીની રચના કોતરીને ઉપસાવેલ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ તથા શાંતિકળશના અખંડ ધારાનાં બે ચિત્રો પણ ઉપસાવેલ છે. જિનાલયની ઉપર શ્રી સરસ્વતીદેવીનું શિલ્પ છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૮) આ જિનાલયની અંદર અને બહાર તત્ત્વથી ભરેલાં ગૂઢ રહસ્યવાળાં સુંદર સુવાક્યો, લેખો કોતરીને લખેલાં છે.
પ્રવેશદ્વારના ઓટલા પર ચડતાં, આજુબાજુના સ્તંભોમાં હાથમાં સિદ્ધસેનવ્યાકરણ લઈને ઊભેલા શ્રી સરસ્વતીદેવીની રચના છે. અહીં ઉપરના ભાગમાં આ વ્યાકરણની ટૂંકમાં સમજ આપતો લેખ પણ છે. ઓટલાના છેડા પરના બન્ને બાજુના બન્ને થાંભલાઓમાં શુભાશિષ વરસાવતાં લક્ષ્મીદેવીનું શિલ્પ છે. ઓટલા ઉપરના ભાગમાં પરીઓની રચનાવાળાં તોરણો છે જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org