________________
પાટણનાં જિનાલયો
| વિક્રમના ૯મા સૈકામાં આચાર્ય બપ્પભટ્ટસૂરિએ પાટણમાં ભગવાન મહાવીરનાં ભવ્ય ચિત્રોની સ્થાપના કરાવી હતી તથા જિનપ્રતિષ્ઠાઓ કરી હતી.
સં. ૮૩૬માં નીનાશેઠે પોતાની માતા નારંગદેવીની યાદમાં નારંગપુર વસાવી તેમાં ભગવાન પાર્શ્વનાથનું દેરાસર બનાવી નાડોલગચ્છના આ ધર્મસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી.
સં. ૯૯૮માં મૂળરાજનો પાટણમાં રાજયાભિષેક થયો. તેણે “મૂળરાજ વસતિ' નામે જિનમંદિર, “મૂળરાજસ્વામી મંદિર અને ત્રિપુરુષપ્રાસાદ બંધાવ્યાં.
ઉપકેશગચ્છના ૪૭મા આચાર્ય સિદ્ધસૂરિએ સં. ૧૦૭૨માં પાટણમાં. શેઠ કપર્દિ શાહે કરાવેલા જિનાલયમાં સ્વર્ણમિશ્રિત પિત્તળની પરમાત્મા મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમાનાં નેત્ર લાખ લાખનાં મૂલ્યવાળાં બે નીલમણિથી બનાવેલાં હતાં. તેનો ઉલ્લેખ પણ પ્રાચીન ગ્રંથોમાં મળે છે. પાટણની જૈન પ્રજાની જાહોજલાલીનો એમાં સ્પષ્ટ નિર્દેશ થાય છે.
સં. ૧૦૮૧માં મહમૂદ ગઝનવીએ ભારત પર ચડાઈ કરી અને પાટણને તોડી ફોડીને લૂંટી લીધું. તેમ છતાં માત્ર થોડાંક જ વર્ષમાં એટલે કે સં. ૧૦૮૮માં વિમલ મંત્રીએ પાટણમાં ‘વિમલવસહી’ મંદિર બંધાવ્યાની ગ્રંથોમાં નોંધ મળે છે.
દરમ્યાનમાં પાટણમાં અનેક ગ્રંથોની રચના થઈ. સ. ૧૧૪૬માં આ શીલભદ્રસૂરિએ મૂલશુદ્ધિ-ટીકા'નું સંશોધન કર્યું હતું. અને તે જ વર્ષમાં મંત્રી મુંજાલે ‘મુંજાલવસહી’ જિનાલય બંધાવ્યું તેમજ એક ઉપાશ્રયનું નિર્માણ પણ કરાવ્યું હતું. સં. ૧૧૪૬માં જ તાડપત્ર પર યોગદષ્ટિસમુચ્ચય' પ્રતિ પણ લખવામાં આવી હતી.
રાજા સિદ્ધરાજના મંત્રી શાંતૂએ સં. ૧૧૫૦ની આસપાસ ‘શાંત્વસહી' ચૈત્ય બનાવ્યું. સિદ્ધરાજે સં. ૧૧૫૦થી સં. ૧૧૯૯ સુધી રાજ્ય કર્યું. તેણે પાટણમાં “રાયવિહાર' જૈન મંદિર બંધાવ્યું.
સિદ્ધરાજની સભામાં દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથે શ્રીદેવસૂરિએ વાદ કરી વિજય મેળવ્યો હતો તેથી સિદ્ધરાજે તેમને ‘વાદી’ બિરુદથી નવાજ્યા હતા. શ્રી હેમચંદ્રાચાર્ય તો સિદ્ધરાજના પરમ ઉપાસ્ય ગુરુ બની ચૂક્યા હતા, એટલું જ નહિ તેઓ એક રાજગુરુ તરીકે ખ્યાતિ પામ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org